International

વિજ્ય માલ્યા વિદેશી બેંકની લોન ન ચુકવતા બ્રિટનમાં ઘર ખાલી કરવું પડશે

બ્રિટન
માલ્યાની ૯૫ વર્ષીય માતા લંડનના આ ઘરમાં રહે છે. માલ્યા માર્ચ ૨૦૧૬માં યુકે ભાગી ગયો હતો. તે ૯,૦૦૦ કરોડ રૂપિયાની લોનની ગેરરીતિ અને મની લોન્ડરિંગના કેસમાં ભારતમાં વોન્ટેડ છે. આ ઘણી બેંકોએ આ લોન કિંગફિશર એરલાઈન્સને આપી હતી. ૬૫ વર્ષીય માલ્યા હાલમાં બ્રિટનમાં જામીન પર બહાર છે. એવું માનવામાં આવે છે કે પ્રત્યાર્પણ પ્રક્રિયા સંબંધિત એક અલગ કેસમાં દેશમાં આશ્રયના મુદ્દા પર ગોપનીય કાનૂની કાર્યવાહીના નિરાકરણ સુધી તે જામીન પર રહી શકે છે. ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના ભાગેડુ કેસમાં સુનાવણી જસ્ટિસ યુ યુ લલિત અને જસ્ટિસ હૃષિકેશ રોયની બેન્ચની ગેરહાજરીને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ ભારતથી ભાગી ગયા બાદ બ્રિટનમાં રહેતા ઉદ્યોગપતિ વિજય માલ્યા સામે કાર્યવાહીના કેસની સુનાવણી કરવાની હતી. કોર્ટે આ ર્નિણય ૩૦ નવેમ્બર ૨૦૨૧ના રોજ વિદેશ મંત્રાલય પાસેથી મળેલી માહિતીના આધારે લીધો હતો. સોલિસિટર જનરલ (જીય્) તુષાર મહેતાએ જસ્ટિસ ઉદય ઉમેશ લલિત, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેંચ સમક્ષ વિદેશ મંત્રાલયની એક નોંધ રજૂ કરી, જે મુજબ માલ્યાનું પ્રત્યાર્પણ તેના અંતિમ તબક્કામાં છે. માલ્યાએ યુકેમાં તેના તમામ કાયદાકીય ઉપાયો પૂર્ણ કરી લીધા છે. વધુ ગુપ્ત માહિતી આપવામાં આવી છે. કોર્ટે વરિષ્ઠ વકીલ જયદીપ ગુપ્તા અને એમિકસ ક્યુરીની પણ નિમણૂક કરી છે. જસ્ટિસ લલિતે કહ્યું કે અમે લાંબા સમયથી રાહ જાેઈ છે. તે દિવસના પ્રકાશની જેમ સ્પષ્ટ છે કે જાે આ વ્યક્તિએ કાર્યવાહીમાં ભાગ લેવો હોત તો તે અહીં આવ્યો હોત, પરંતુ તેણે તેના વકીલને મોકલ્યા છે. જાે માલ્યા ઇચ્છે તો તેનો લેખિત જવાબ આપી શકે છે. જાે માલ્યા પોતે નહીં આવે તો તેના વકીલો દલીલો કરશે.બ્રિટનમાં પણ ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી.બ્રિટનની કોર્ટે મંગળવારે ભારે દેવાના બોજ હેઠળ દબાયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાને લંડનમાં તેમના આલીશાન મકાનમાંથી બહાર કાઢવાના આદેશ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી હતી. સ્વિસ બેંક ેંમ્જી સાથે લાંબા સમયથી ચાલી રહેલા કાયદાકીય વિવાદમાં માલ્યાનું ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. માલ્યાએ આ આદેશના પાલન પર સ્ટે માંગ્યો હતો. માલ્યાના આ ઘરમાં હાલમાં તેની ૯૫ વર્ષીય માતા ઘરમાં રહે છે. સ્વિસ બેંક ેંમ્જી સાથે ચાલી રહેલા કાયદાકીય વિવાદમાં થોડા સમય પહેલા માલ્યાનું ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ સામે માલ્યાએ કોર્ટમાં અરજી કરી હતી. જાે કે, બ્રિટિશ કોર્ટે મંગળવારે લંડનના વૈભવી ઘરમાંથી બહાર કાઢવાના આદેશ પર સ્ટે માંગતી અરજીને ફગાવી દીધી હતી. લંડન હાઈકોર્ટના ચેન્સરી ડિવિઝનના જજ મેથ્યુ માર્શે તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે માલ્યા પરિવારને બાકી રકમ ચૂકવવા માટે વધારાનો સમય આપવાનું કોઈ કારણ નથી. મતલબ કે માલ્યાને આ પ્રોપર્ટીમાંથી બહાર કરી શકાય છે. નોંધપાત્ર વાત એ છે કે માલ્યાએ આ સ્વિસ બેંકની ૨.૦૪ કરોડ પાઉન્ડની લોન પરત કરવાની છે.

Vijay-Maliya.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *