દુબઈ
સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીના એરપોર્ટ નજીક એક શંકાસ્પદ હુતી ડ્રોન હુમલા પછી ઘણા વિસ્ફોટ થયા. આ હુમલાઓમાં બે ભારતીય અને એક પાકિસ્તાની નાગરિક માર્યા ગયા હતા અને અન્ય છ લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, વિસ્ફોટ સંભવતઃ નાની ઉડતી વસ્તુઓ, ડ્રોનને કારણે થયા હતા. આ ડ્રોન અબુ ધાબીમાં ત્રણ પેટ્રોલિયમ ટેન્કરો સાથે અથડાયા હતા. અમીરાત ન્યૂઝ એજન્સી (ઉછસ્) અનુસાર, અબુ ધાબી ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા નિર્માણાધીન વિસ્તારમાં આગની બીજી ઘટના પણ નોંધાઈ છે. અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની સ્ટોરેજ ફેસિલિટી પાસેના મુસાફાહ ઈન્ડસ્ટ્રીયલ રિજનમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે ત્રણ પેટ્રોલિયમ ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. એજન્સીએ કહ્યું, “પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આગ બંને વિસ્તારોમાં પડી રહેલી નાની ઉડતી વસ્તુઓને કારણે લાગી હતી, જે કદાચ ડ્રોન સાથે સંબંધિત હોઈ શકે છે.” અબુ ધાબી પોલીસે મૃતકોની ઓળખ બે ભારતીય અને એક પાકિસ્તાની નાગરિક તરીકે કરી છે. ઓછામાં ઓછા છ અન્ય લોકો ઘાયલ થયા છે, જેમાં નાની ઈજાઓ છે. આ માહિતિ પોલીસ દ્વારા જાણવા મળી હતી. ેંછઈમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે, વધુ વિગતો માટે મિશન સંબંધિત ેંછઈ સત્તાવાળાઓ સાથે ગાઢ સંપર્કમાં છે. તેમણે ટિ્વટ કર્યું, “ેંછઈના અધિકારીઓએ માહિતી આપી છે કે, છડ્ઢર્દ્ગંઝ્ર સ્ટોરેજ ટેન્ક પાસે મુસાફાહમાં વિસ્ફોટમાં બે ભારતીય નાગરિકો સહિત ત્રણ લોકોના મોત થયા છે. અબુ ધાબીમાં ભારતીય મિશન વધુ વિગતો માટે સંબંધિત ેંછઈ સત્તાવાળાઓ સાથે ગાઢ સંપર્કમાં છે. ેંછઈએ હુમલા માટે હુતી બળવાખોરોને જવાબદાર ઠેરવ્યા છે. સાઉદી અરેબિયાએ પણ આ ઘટનાની નિંદા કરી અને માનવામાં આવે છે કે, આ હુમલો તેના જવાબમાં કરવામાં આવ્યો હતો.”યમનમાં સાઉદી અરેબિયાની આગેવાની હેઠળના ગઠબંધન દળો દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં હુતી બળવાખોરોના કમાન્ડર અબ્દુલ્લા કાસિમ અલ જુનિદ સહિત ઘણા વરિષ્ઠ હુતી અધિકારીઓ માર્યા ગયા છે. હુતી વિદ્રોહીઓ સાથે બે ભારતીયોના મોતનો લેવાયો બદલો, સાઉદી અરેબિયાએ બેઝ પર કર્યો બોમ્બમારો, કમાન્ડર સહિત અનેક બળવાખોરો ઠાર મરાયા યમનમાં સાઉદી અરેબિયાની આગેવાની હેઠળના ગઠબંધન દળો દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં હુતી બળવાખોરોના કમાન્ડર અબ્દુલ્લા કાસિમ અલ જુનિદ સહિત ઘણા વરિષ્ઠ હુતી અધિકારીઓ માર્યા ગયા છે. અરબ ન્યૂઝ ચેનલ અલ-હદાથે આ જાણકારી આપી છે. સાઉદી અરેબિયાના લડાકુ વિમાનોએ મંગળવારે મધ્યરાત્રિએ યમનની રાજધાની સનામાં હુતી બળવાખોરોના ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો જ્યારે યમનમાં હવાઈ હુમલો કર્યો. સોમવારે અબુ ધાબીમાં હુથી બળવાખોરો દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં બે ભારતીયોના મોત થયા બાદ આ હુમલો થયો છે. અલ-હદાથના અહેવાલ મુજબ, હ્લ-૧૫ અને હ્લ-૧૬ (સાઉદી હ્લ-૧૫જીછ અને ઈદ્બૈટ્ઠિંીજ હ્લ-૧૬) ફાઈટર જેટને સાઉદી અરેબિયાના ફાઈટર જેટ્સમાં હુતી વિદ્રોહી ઠેકાણાઓને નષ્ટ કરવા માટે સામેલ કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, સાઉદી અરેબિયા આગામી ૨૪ કલાક સુધી આ હુમલો ચાલુ રાખવાનું છે. આવી સ્થિતિમાં હવે હુતી વિદ્રોહીઓ પર કહેર વરસવાનો છે. યમનમાં છેલ્લા છ વર્ષથી ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે અને ગઠબંધન દળો હુતી વિદ્રોહીઓ સામે લડી રહ્યા છે. આ યુદ્ધના કારણે યમનમાં ગંભીર માનવીય સંકટ ઉભું થયું છે.
