National

તુર્કીની રાજધાની ઈસ્તાંબુલના વિસ્ફોટ,૪ લોકોના મોત,૩૮ થયા ઘાયલ

ઇસ્તાંબુલ
તુર્કીની રાજધાની ઇસ્તાંબુલના તકસીમ સ્ક્વાયરમાં બોમ્બ ધમાકો થયો છે, જેમાં ચાર વ્યક્તિના મોત થયા છે અને કુલ ૩૮ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ધમાકો રવિવાર (૧૩ નવેમ્બર) એ ઇસ્તાંબુલના સૌથી ભીડવાળા વિસ્તારમાં તે સમયે થયો, જ્યારે ત્યાં પર મોટી સંખ્યામાં લોકો હાજર છે. ધમાકા બાદ ઘટનાસ્થળ પર એમ્બ્યુલન્સ, ફાયરની ગાડીઓ અને પોલીસ પહોંચી ગઈ છે. વિસ્ફોટ કઈ રીતે થયો તે વિશે વધુ જાણકારી સામે આવી નથી. રિપોર્ટ્‌સ પ્રમાણે બ્લાસ્ટ બાદ તે વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. વીડિયોમાં ધમાકાની તીવ્રતા ઓછી જાેવા મળી રહી છે. સ્થાનીક રિપોર્ટ પ્રમાણે બ્લાસ્ટ સાંજે ૪.૧૫ કલાક (તુર્કીના સમયાનુસાર) પર થયો હતો. તુર્કીમાં થયેલો આ વિસ્ફોટ પહેલો નથી. આ પહેલા પણ ૨૦૧૭ અને ૨૦૧૫માં ઇસ્લામિક સ્ટેટ અને કેટલાક કુર્દ સમૂહોએ અહીં ધમાકા કર્યાં હતા.

File-01-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *