ગાંધીનગર
ગાંધીનગરના સેકટર – ૧૪ માં આવેલી સરદાર પટેલ હાઉસિંગ સોસાયટીના એક બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકી તિજાેરી માંથી દોઢ લાખ રોકડા તેમજ રૂ. ૩.૩૦ લાખની કિંમતના સોનાના દાગીના મળીને કુલ રૂ. ૪.૮૦ લાખની મત્તા તસ્કરો ચોરી ગયાનું વધુમાં માલુમ પડયું હતું. આ અંગે જાણ થતાં સેકટર – ૭ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


