જુનાગઢના ભેસાણમાં સરકારી હોસ્પિટલ ખાતે મુક્તાનંદ બાપુના 65 માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કર્યું
જૂનાગઢના ભેસાણ માં સરકારી હોસ્પિટલ ખાતે પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુના 65 માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે તાલુકા બ્રહ્મ સમાજ તેમજ ગ્રામજનો દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં તાલુકાના અસંખ્ય લોકોએ રક્ત દાન કર્યું જેમાં જરૂરિયાત મંદ લોકો જે બીમારી ધરાવતા હોય ડાયાલિસિસ થેલેસેમિય ડીલેવરી પેશન્ટ માં ગંભીર અકસ્માતના કેસોમા જરૂરિયાત મંદ બધા જ દર્દીઓને વિના મૂલ્યે બ્લડ આપવામાં આવશે આ બલ્ડ થી અનેક દર્દીઓને નવી જિંદગી મળશે આ કેમ્પમાં અમૃતાનંદ બાપુ તેમજ ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણી ડોકટર સ્ટાફ સહિત 42 ગામના લોકો બહોળી સંખ્યામાં હાજર રહી રક્તદાન કર્યું હતું આ કેમ્પ નું આયોજન નીતિનભાઈ જોશી અશ્વિનભાઈ ભુવા અરુણ મેહતા સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું
રિપોર્ટર,મહેશ કથિરીયા



