Gujarat

સાવરકુંડલા શહેરની સરકારી પે.સેન્ટર શાળા નંબર ૧ માં વિશ્વ ચકલી દિનની ઉજવણી કરવામાં આવી.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
ચકલી એક સમયે આપણા ઘરમાં આપણી આસપાસ ચીં..ચીં..કરીને પોતાની હાજરી પુરવાર કરતી હતી, પરંતુ હવે આ ચકલીની પ્રજાતિ લુપ્ત થાવાના આરે આવી પહોંચી છે, ત્યારે ૨૦ માર્ચે ‘વિશ્વ ચકલી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.એક સમય હતો જ્યારે ચકલીની ચિંચિંયારી ગામડાં અને શહેરોમાં ગુંજતી હતી, પરંતુ બદલાતા સમયની સાથે ધીમેધીમે ચકલીઓની પ્રજાતિ લુપ્ત થઇ રહી છે અને ચકલીનો કલરવ  ભાગ્યેજ સાંભળવા મળે છે. આથી ચકલીની પ્રજાતિનૈ લુપ્ત થતી અટકાવવા સમગ્ર વિશ્વમાં આજે ૨૦ માર્ચના રોજ ‘વિશ્વ ચકલી દીવસ’ની ઉજવણી કરવામાં આવે છે. જેના અનુસંધાને વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાના સહયોગથી પે સેન્ટર શાળા નંબર એકમાં વિદ્યાર્થીઓને ચકલીના માળા આપી ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા શહેર તેમજ તાલુકામાં ૧૦૦૦૦ ચકલીના માળાનું વિનામૂલ્યે વિતરણનું પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને  વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રિયંકભાઈ પાંધી તેમજ તેમજ આ વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ ટીમના મેમ્બર સતિષભાઈ પાંડે, ઝૂબેરભાઈ ચૌહાણ તેમજ તેમની ટીમ દ્વારા બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

IMG-20230321-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *