મકસુદ કારીગર,કઠલાલ
શ્રીમતી સ્વયં પ્રભાબહેન શાહ હાઇસ્કૂલ મહુધા ખાતે અચાનક આગ લાગે તો શું કરવું અને કંઈ રીતે આગને કાબુમાં લેવી તે માટે મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં ફાયર એક્સ્તિગ્યુઝર,રેતી તથા પાણી નો મારો, ફાયર એલાર્મ ની સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે ધીરજ ગઢવી, આચાર્ય સંજયકુમાર.એન.પંચાલ, સી.કે પટેલના આચાર્ય રાકેશભાઈ પટેલ, શાળાના તમામ શિક્ષક ભાઈ બહેનો ને આ અંતર્ગત તાલીમ આપવામાં આવી હતી. સાથોસાથ વિદ્યાર્થીઓને પણ આ બાબતની તાલીમ આપવામાં આવી હતી.


