Gujarat

કેન્દ્ર સરકારે રૂ. ૪૫૦૦૦ કરોડના સંરક્ષણ ખરીદીપ્રસ્તાવને મંજૂરી આપી

કેન્દ્ર સરકારે રૂ. ૪૫૦૦૦ કરોડના સંરક્ષણ ખરીદીપ્રસ્તાવને મંજૂરી આપી છે. આ ખરીદી પ્રસ્તાવને ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ  દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. આ અંતર્ગત ભારતીય વાયુસેના ૧૨ જીેાર્રૈ જીે-૩૦ ખરીદશે. આ ખરીદી હિન્દુસ્તાન એરોનોટિક્સ દ્વારા કરવામાં આવશે. માનવામાં આવે છે કે આ ડીલ લગભગ ૧૧૦૦૦ કરોડ રૂપિયાની હશે. શેરબજારને આપેલી માહિતીમાં આ વાતની પુષ્ટિ કરી છે. આ અઠવાડિયે હિન્દુસ્તાન એરોનોટિક્સનો શેર રૂપિયા ૩૯૪૭.૪૦ પર બંધ થયો. આ ડીલ આ સરકારી ડિફેન્સ કંપનીના શેરમાં પ્રાણ ફૂંકે તેવા અનુમાન લગાવવામાં આવી રહયા છે. સંરક્ષણ સંપાદન પરિષદે કુલ રૂ. ૪૫,૦૦૦ કરોડના મૂલ્યની ૯ પ્રાપ્તિ દરખાસ્તોને મંજૂરી આપી છે. તેમાં મુખ્યત્વે હળવા આર્મર્ડ મલ્ટી પર્પઝ વ્હીકલ, ઈન્ટીગ્રેટેડ સર્વેલન્સ એન્ડ ટાર્ગેટિંગ સિસ્ટમ અને નેક્સ્ટ જનરેશન સર્વે વેસલ્સનો સમાવેશ થાય છે. સંરક્ષણ મંત્રાલય સ્વદેશીકરણ માટે ગંભીર છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે અમારું ધ્યાન ઓછામાં ઓછું ૬૦-૬૫% સ્વદેશી ઉત્પાદિત સામગ્રી પર છે. આ માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને વિશેષ સૂચનાઓ જારી કરવામાં આવી છે. મોદી સરકાર સંરક્ષણ પાછળ આક્રમક રીતે ખર્ચ કરી રહી છે. સ્વદેશીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેનો લાભ ડિફેન્સ પીએસયુ કંપનીઓને જબરદસ્ત રીતે મળી રહ્યો છે. આ સરકારી સંરક્ષણ કંપનીઓ પાસે વર્ષોનો અનુભવ છે. આ સિવાય સરકાર સાથે વ્યૂહાત્મક સંબંધ છે.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *