Gujarat

ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલ જામનગરના ગાંધીનગર વિસ્તારની મુલાકાત લઈ સ્થાનિક નાગરિકો સાથે સંવાદ સાધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલ શહેરના ગાંધીનગર
વિસ્તારના વોર્ડ નં 2 ખાતે આવેલ ખોડિયાર હોલ તથા આસપાસના વિસ્તારની મુલાકાત લઈ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો
હતો.મુખ્યમંત્રીશ્રીએ આ તકે વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ સાથે સંવાદ કરી તેઓના ખબર અંતર પૂછ્યા હતા તેમજ વરસાદી
પાણીથી થયેલ નુકસાન તેમજ હાલની સ્થિતિ અંગેની વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રી શ્રી સાથે આ તકે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્ય શ્રી રિવાબા જાડેજા, શ્રી
દિવ્યેશભાઈ અકબરી, કલેક્ટર શ્રી બી.એ.શાહ, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદી સહિતના મહાનુભાવો જોડાયા હતા.

-ભૂપેન્દ્રભાઈ-પટેલ-10.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *