Gujarat

રાઘવ ચઢ્ઢાએ વિપક્ષી સાંસદોના સસ્પેન્શનને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

‘ગૃહમાંથી કોઈ સાંસદ નથી, લોકશાહી સસ્પેન્ડ’ : રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢા

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢાએ વિપક્ષી સાંસદોના સસ્પેન્શનને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે સાંસદોને સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી, પરંતુ દેશની અંદર લોકશાહીને સસ્પેન્ડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે વિપક્ષી દળોના આ સાંસદોને એટલા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા કારણ કે તેઓએ સંસદની સુરક્ષામાં ક્ષતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા. છછઁ સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે સંસદની સુરક્ષામાં ક્ષતિઓ પર સવાલ ઉઠાવનારા વિરોધ પક્ષોના સાંસદોને સસ્પેન્ડ કરવા એ આજની લોકશાહીની મોટી વિડંબના છે.

તેમણે કહ્યું કે તે ખૂબ જ આશ્ચર્યજનક છે કે જે બીજેપી સાંસદના હસ્તાક્ષરથી આરોપીને ગૃહની અંદર લાવ્યા હતા તે હજુ પણ ગૃહની અંદર બેઠા છે અને તેમની સભ્યપદ પર કોઈ અસર થઈ નથી.. છછઁના વરિષ્ઠ નેતા અને પંજાબના રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે બીજેપી સાંસદ દ્વારા હસ્તાક્ષર કરેલો વિઝિટર પાસ મેળવ્યા બાદ બે આરોપી ગૃહની અંદર આવે છે અને ગૃહ પર હુમલો કરે છે. આ બંને આરોપીઓ એક રીતે ભાજપના સાંસદના મહેમાન હતા. તેમ છતાં ભાજપના સાંસદ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

તેની સદસ્યતા પર કોઈ અસર થઈ નથી. રાઘવ ચઢ્ઢાએ સવાલ ઉઠાવ્યો હતો કે સંસદની સુરક્ષાના મુદ્દે કેન્દ્ર સરકારને સવાલ પૂછનારા ૧૪૧ વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં શું ન્યાય છે. આ કેવા પ્રકારની લોકશાહી છે? રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે મને એ કહેવામાં જરા પણ સંકોચ નથી કે આજે આ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી, પરંતુ લોકશાહીને સસ્પેન્ડ કરવામાં આવી છે.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *