Gujarat

વડોદરા ખાતે કેનાલ રોડ નજીક પૂજ્ય અમરાબાપુ માર્ગ પાસે શ્રી પૃથ્વીરાજ સર્કલ નું ખાતમુર્હત કરાયુ…

પાળીયાદ જગ્યા ના મહંત પૂ. નિર્મળાબા,જગ્યાના સંચાલક ભયલુબાપુ, ગાયત્રીબા,દિયાબા ,બાળઠાકર પૂ.શ્રી પૃથ્વીરાજબાપુ,વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ,વડોદરાના મેયર નિલેશભાઈ રાઠોડ તેમજ કમિટી અધ્યક્ષ ડો.હિતેષભાઇ પટેલ હાજર રહ્યા….
સૌરાષ્ટ્ર ની જગ વિખ્યાત દેહાણ પરંપરા ની પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ જગ્યા કે જ્યાં પાંચાળ પ્રદેશ નું પ્રગટ પીરાણું અને લાખો લોકો ની શ્રદ્ધા નું કેન્દ્ર એવા વિહળધામ પાળીયાદ ના ભાવિ ગાદીપતી બાળ ઠાકર પરમ પૂજ્ય શ્રી પૃથ્વીરાજબાપુ ના નામ કરણ પરથી આજ રોજ તા.૨૮/૪/૨૦૨૩ ને શુક્રવાર ના શુભ દિવસે સવારે ૧૦ કલાકે વડોદરા ખાતે કેનાલ રોડ નજીક તેમજ પૂજ્ય અમરાબાપુ માર્ગ પાસે ” શ્રી પૃથ્વીરાજ સર્કલ ” નું ખાત મુરત
પાળીયાદ જગ્યા ના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ તેમજ જગ્યા ના પ્રેરક સંચાલક પૂજ્ય ભયલુબાપુ તેમજ પૂ. ગાયત્રીબા , પૂ. દિયાબા ,બાળઠાકર પૂ. પૃથ્વીરાજબાપુ સહિત ઠાકર પરીવાર ની હાજરી માં વડોદરા જિલ્લા ના સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ વડોદરા શહેર ના મેયર નિલેશભાઈ રાઠોડ તેમજ કમિટી અધ્યક્ષ ડો.હિતેષભાઇ પટેલ તેમજ સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન તેમજ કાઉન્સિલર મેમ્બરો તેમજ કોર્પોરેટર ભાઈઓ બહેનો સહિત પંચમ ગ્રુપ ના મોહનભાઇ પ્રજાપતિ , નરોતમભાઈ પ્રજાપતિ , લખમણભાઈ પ્રજાપતિ , અશોકભાઈ પ્રજાપતિ તેમજ બહેનો સહિત સમગ્ર વિહળ પરીવાર સેવક સમુદાય ની હાજરી બ્રાહ્મણો દ્વારા મંત્રોચાર સાથે વિધી વિધાન મુજબ ખાત મુરત કરવામાં આવેલ હતું…
પૂજ્ય બા શ્રી તેમજ પૂજ્ય ભયલુબાપુ તેમજ ઠાકર પરીવાર અને ઠાકર ના સહુ સેવકો સહિત તમામ આમંત્રિત મહેમાનો અને વડોદરા કોર્પોરેશન ના પદાધિકારીઓ તેમજ કોર્પોરેટરો નું ફુલહાર તેમજ સાલ ઓઢાડી હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરેલ હતું…પૂજ્ય બા દ્વારા વડોદરા કોર્પોરેશન તેમજ પંચમ ગ્રુપ તેમજ વિહળ પરીવાર સેવક સમુદાય તેમજ વડોદરા શહેર ની જનતા ને આશીર્વાદ પાઠવેલ હતા તેમજ પૂજ્ય ભયલુબાપુ દ્વારા સમગ્ર ટીમ ની આભાર વિધી કરેલ હતી..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20230430-WA0182.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *