સાવરકુંડલા તાલુકાના વીજપડી થી ભમર રેલવે સ્ટેશન સુધીના રોડમાં બંને સાઈડ રોડ જાણે પેક ન કરી દીધો હોય તેવી હાલતમાં બાવળ જોવા મળતા હોય છે ક્યારેક અકસ્માત પણ થઈ શકે તેવી પૂરી સંભાવના રહેલ છે. એક તો રોડની હાલત ખરાબ અને ઉપરાંત રોડની બંને સાઇડ બાવળો, તો કોઈ વખત વન્યપ્રાણી તેમજ નીલગામ રોજ પણ આ રસ્તા પર જોવા મળતા હોય છે. કોઈ આકસ્મિક અકસ્માત બનાવવાનું ન બને એ પહેલા બંધ રોડની બંને સાઇડ ખુલ્લી કરવા તાત્કાલિક ખુલ્લી કરવા લોક માંગ ઉઠી છે એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું.

