પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ પાવીજેતપુર વિધાનસભા મત વિસ્તારના કાર્યકરો સાથે આજ રોજ પોતાના નિવાસસ્થાન પાણીબાર ખાતે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળી હતી.
ફિલ્મ નિહાળ્યા બાદ ધારાસભ્ય જયંતિભાઈ તેમજ કાર્યકરોએ ફિલ્મની પ્રસંશા કરી હતી. અને ફિલ્મ નિર્માતાને બિરદાવ્યા હતા. અંત્રે ઉલ્લેખનીય છે કે, ગોધરા કાંડ ઉપર બનેલી આ ફિલ્મને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુહ મંત્રી અમિત સાહએ પણ વખાણ કર્યા છે તે બાદ આ ફિલ્મને કર મુક્ત કરાય છે.
આ અવસરે છોટાઉદેપુર જિલ્લા પૂર્વ સંગઠન મહામંત્રી ગોવિંદ ભાઈ રાઠવા, જિલ્લા સદસ્ય સુરેશભાઈ રાઠવા, પાવીજેતપુર તાલુકાના પ્રમુખ મુકેશભાઈ રાઠવા , પાવીજેતપુર તાલુકા સંગઠન પ્રમુખ કીરણભાઈ રાઠવા તેમજ વિસ્તારના આગેવાનો, આસપાસના ગામોના સરપંચ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર