Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’નો ૧૧૭ મો લાઈવ એપિસોડ

પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને કાર્યકરોએ પાણીબાર ખાતે નિહાળ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’નો ૧૧૭ મો લાઈવ એપિસોડના કાર્યક્રમમાં પાવીજેતપુર તાલુકાના પાણીબાર ગામે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના નિવાસસ્થાને નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા સંગઠન પૂર્વ મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા, કનલવા જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ રાઠવા, પાવીજેતપુર તાલુકા પ્રમુખ મુકેશભાઈ રાઠવા , પાવીજેતપુર તાલુકા સંગઠન પ્રમુખ કીરણ ભાઈ રાઠવા તેમજ વિસ્તરના આગેવાનો, આસપાસના ગામોના સરપંચ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર