Gujarat

સાવરકુંડલા કબીર ટેકરી ખાતે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ

૭૭ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો મોતિયાના ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં આવ્યા
સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલ દર્શનીય અને રમણીય યાત્રાધામ કબીર ટેકરી ખાતે સદ્દગૂરૂ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ સવારકુંડલા અને નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સંચાલિત સુદશઁન નેત્રાલય હોસ્પીટલ અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન કરવામાં આવેલ આ કેમ્પમાં આંખોના રોગથી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું
કેમ્પની અંદર ઓ.પી.ડી.માં ૭૭ દદીઁઓને લાભ લીધો હતો તેમજ મોતિયાના ઓપરેશનો માટે ૧૨ દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પનુ દિપપ્રાગટય કબીર ટેકરી સાવરકુંડલાના મહંત નારણદાસ‌ સાહેબ, અરૂણભાઇ લાયન્સ કલબ ઓફ અમરેલીમાંથી જયેશભાઈ પંડ્યા, વિમલભાઈ જોબનપુત્રા, મનોજભાઈ કાનાણી  સામાજિક સેવા સંસ્થાન બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી વિશાલભાઇ વ્યાસ, જિતેનભાઇ હેલૈયા, જગદીશભાઈ જેઠવા તથા પટેલ બેટરીવાળા વિઠ્ઠલભાઈ સુદર્શન નેત્રાલયના કર્મચારી નિલેષભાઈ ભીલ, તથા કબીર ટેકરીના સ્વયંમ સેવકો વગેરે લોકોએ સેવા આપી હતી આકેમ્પ દર મહિનાના ચોથા ગુરુવારે છેલ્લા ૧૩ વર્ષથી યોજાયછે.
બિપીન પાંધી