Gujarat

કહી જામનગરમાં ત્રણ શખ્સોએ યુવક પર પટ્ટા વડે હુમલો કર્યો, કાનમાં ઈજા થતા ટાંકા લેવા પડ્યા

જામનગરમાં વૈશાલીનગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર ત્રણ શખ્સોએ પટ્ટા વડે હુમલો કરી કાન તોડી નાખ્યો હતો અને ટાંકા લેવા પડ્યા છે. તું અમારા દુશ્મનનો માણસ છે, તેમ કહી હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે, જામનગરમાં વૈશાલીનગર શેરી નંબર -6માં રહેતો જયદીપ મનજીભાઈ રાઠોડ નામનો 27 વર્ષનો યુવાન ગઈકાલે પોતાની બહેનને તેડવા માટે એક્ટિવા લઈને મામાને ઘેર જઈ રહ્યો હતો.

જે દરમિયાન રસ્તામાં મુન્નો વાઘેલા અને તેના બે સાગરીતોએ અટકાવ્યો હતો, અને તું અમારા દુશ્મનો માણસ છો, તેમ કહી ખાર રાખી પટ્ટા વડે તેમજ ઢીકાપાટુથી માર માર્યો હતો. જેથી તેનો કાન તૂટી જતાં જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો, અને ટાંકા લેવા પડ્યા છે.

આ બનાવ અંગે જયદીપ રાઠોડએ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં મુન્નો વાઘેલા અને તેના બે સાગરીતો સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવી છે.