Gujarat

છોટા ઉદેપુર ખાતે આવેલી ઓરસંગ હોસ્પિટલ માં PMJY યોજના અંતર્ગત ઓર્થોપેડીક ના દર્દીઓ વિના મૂલ્યે સેવાનો શુભારંભ કરવામાં આવ્યો

છોટા ઉદેપુર જિલ્લાના ઓર્થોપેડીક દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મળી રહે એ માટે ઓરસંગ હોસ્પિટલ એ આરોગ્ય વિભાગ માં દરખાસ્ત મૂકી હતી, જે દરખાસ્ત ૨૯ ફેબ્રુઆરી ના રોજ સરકારી મંજૂરી આપવામાં આવતાં આજ રોજ પ્રગટ પુરુષોત્તમ ભાદરણ ના અંબુ મહારાજ દ્વારા કથા કરાવી લોકો ને વિના મૂલ્યે સારવાર મળે તે હેતુ થી શુભારંભ કરવામાં આવ્યો છે. છોટા ઉદેપુર જિલ્લા માં પીએમજેવાય યોજના અંતર્ગત છોટા ઉદેપુર ખાતે કાર્ડ દ્વારા લાભ મળતાં લોકોમાં આનંદની લાગણી છવાઈ છે.