Gujarat

અંકલેશ્વરની કન્યાશાળા બ્રાંચ નંબર 1 ખાતે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી

ગ્લોબલ વોર્મિંગ તથા પર્યાવરણનાં અસંતુલન સામે પૃથ્વીની સ્થિતિને બગડતી અટકાવવા માટે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત અંકલેશ્વરની કન્યાશાળા બ્રાંચ નંબર 1 ખાતે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓને પર્યાવરણની જાળવણી, વીજળીની બચત, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, જળ જમીન અને વાયુની જાળવણી માટે વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.