અમરેલીમાં કેરીયા રોડ પર જેટકો ઓફિસની બાજુમાં આવેલા ઝુપડપટ્ટીમાં સવારે 10 વાગ્યાના અરસામાં અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી. ઝુપડપટ્ટીમાં આગ લાગતા થોડીવાર માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
આગની જાણ અમરેલી ફાયર કંટ્રોલરૂમને કરવામાં આવી હતી. ફાયર ઓફિસર એચ.સી.ગઢવીની આગેવાની હેઠળ ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી ગયા હતા. આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો.
ફાયર ફાયટરની ટીમે ઝુપડપટ્ટીમાં ઘરવખરી અને કિંમતી ચીજ વસ્તુઓ બહાર કાઢવા માટે લોકોની મદદ કરી હતી. આ આગની ઘટનામાં પાચેક જેટલા ઝુપડા બળી ગયા હતા. અને માલસામાનને પણ નુકશાન પહોંચ્યું હતું.
જો કો આ ઘટનામાં સદનસીબે જાનહાની ટળી હતી. આ કામગીરીમાં ફાયર તંત્રના હિંમતભાઈ બાંભણિયા, પ્રવીણભાઈ ચૌહાણ, પારસભાઈ પરમાર, સાગરભાઈ પુરોહિત, દિલીપસિંહ રાઠોડ, હર્ષપાલસિંહ ગઢવી જોડાયા હતા.