અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રાખવા અને કોઇપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તત્કાલ પ્રતિસાદ આપવો જરૂરી બને છે. તે સંજોગોમાં શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે પોલીસ જવાનોને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે. રાજ્યમાં સરહદી વિસ્તારથી લઈને મહાનગરોમાં તંગદિલી અને સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા તમામ પોલીસ અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે અને સંપૂર્ણ તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.

ઇમરજન્સીમાં પોલીસે શુ કરવું તેની માહિતી પોલીસ જવાનોને આપી આજે અમદાવાદ શહેરમાં શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે શહેર પોલીસના જવાનોને ઇમર્જન્સીમાં કાયદો અને વ્યવસ્થા કઈ રીતે કંટ્રોલ કરવા? જો કોઈ બનાવ બને તો કઈ રીતે લોકોની મદદ કરવી? તથા વધુમાં વધુ ચોકસાઈ રાખવા માટે સૂચના આપી છે.

BSFમાં પણ કાર્યરત તથા તે સમયે પણ નાગરિકોને કઈ રીતે મદદ મળી શકે અને કોઈ તકલીફ ન પડે તે પ્રમાણેના વ્યવસ્થા કરવાની હોય છે, તે જ રીતે અમદાવાદ શહેરમાં પણ તકેદારીના ભાગરૂપે પોલીસ સામાન્ય લોકોની મદદમાં કઈ રીતે આવી શકે અને શું કરી શકાય તે અંગે માહિતગાર કર્યા હતા.