રાજકોટ ઠગાઇ અને વિશ્વાસઘાતના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી થોરાળા પોલીસ સ્ટેશન.
રાજકોટ શહેર તા.૯/૫/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના કરેલ હોય. જે અનુસંધાને P.I એન.જી.વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ થોરાળા પો.સ્ટે. IPC કલમ-૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૮, ૪૭૩, ૧૨૦(બી) મુજબના ગુન્હાના નાસતા-ફરતા આરોપીને પકડવા ઉપરી અધિકારીઓની મંજુરીથી રાજેશભાઇ મેર ની એક ટીમ તપાસમાં મહારાષ્ટ્ર ખાતે રવાના કરેલ અને મહારાષ્ટ્ર ખાતે ટેક્નીકલ તથા હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી આરોપીને ઠગાઇ વિશ્વાસઘાતના ગુન્હામાં પકડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. અનીશ કિશોરભાઇ ગોસલીયા ઉ.૩૯ રહે,ફ્લેટ નં બી/૪૦૩ દર્શના હાઇટ્સ કો.હા.સોસાયટી ૧૫૦ ફુટ રીંગ રોડ ભાયંદર વેસ્ટ થાણે મહારાષ્ટ્ર.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.