Gujarat

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલ સરસ્વતી વિદ્યાલયમાં નારી શક્તિના વરદહસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો 

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ ગિરધર ઘર વૃધ્ધાશ્રમ પાસે આવેલ સરસ્વતી વિદ્યાલયમાં પણ ૭૬ મા પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી. અને ખાસ વાત તો એ છે કે અહીં નારી શક્તિના વરદહસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.
આમ સરસ્વતી વિદ્યાલયે ખરા અર્થમાં નારી શક્તિની સંવેદનાને ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પણ નારી શક્તિને પ્રાધાન્ય આપ્યું. અને આમા જ  ભારત દેશની ખરી અસ્મિતા સમાવિષ્ટ છે.
બિપીન પાંધી સાવરકુંડલા