માઈ ભક્તો માટે આવ્યા સારા સમાચાર
ભારતના અભિન્ન અંગ એવા જમ્મુ કાશ્મીરમાં બિરાજમાન અતિ પવિત્ર માતા વૈષ્ણો દેવી મંદિર માટે હેલિકોપ્ટર સેવા બુધવારે ફરીથી શરૂ કરી દેવાઈ છે. આ ર્નિણયથી શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને પગલે હેલિકોપ્ટર સેવા અંદાજિત એક અઠવાડિયા સુધી બંધ રહી હતી. અધિકારીઓેએ આ માહિતી આપી. હેલિકોપ્ટર સેવા શરૂ કરવા માટે એક દિવસ પહેલા જ જમ્મુ અને શ્રીનગર સહિત ૩૨ એરપોર્ટ પર ફ્લાઈટ્સ શરૂ કરી દેવાઈ હતી.
બંને પાડોશી દેશો વચ્ચે સૈન્ય કાર્યવાહી રોકવા પર સહમતિ બન્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. મંદિર વ્યવસ્થાપન બોર્ડના એક અધિકારીએ જણાવ્યું કે, ‘માતા વૈષ્ણો દેવી મંદિરમાં હેલિકોપ્ર સેવા છેલ્લા સાત દિવસો સુધી બંધ હતી, જેને આજે સવારે શરૂ કરી દેવાઈ. આ મહિનાની શરૂઆતથી તીર્થયાત્રીઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો આવ્યો હતો, પરંતુ હવે આ વધી રહી છે.‘
આ બાબતે અધિકારીઓએ કહ્યું હતું કે, પવિત્ર યાત્રાધામ માતા વૈષ્ણો દેવી મંદિર ખાતે આવતા તીર્થયાત્રીઓ માટે બેટરી કાર સેવા પણ ચાલું છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી ૩૦ લાખથી વધુ તીર્થયાત્રીઓએ મંદિરમાં દર્શન કર્યા છે, જ્યારે ગત વર્ષ આ સંખ્યા ૯૪.૮૪ લાખ હતી. આશા વ્યક્ત કરી કે આ સંખ્યા આવનારા દિવસોમાં અનેક ગણી વધી જશે.