National

ઝારખંડના સાહિબગંજમાં ૨ માલગાડીઓ એકબીજા સાથે અથડાઈ; ૨ના મોત

ઝારખંડમાં મોટો રેલ અકસ્માત

ઝારખંડના સાહિબગંજમાં એક મોટો રેલ અકસ્માત થયો હતો જેમાં બરહેટ એમજીઆર લાઇન પર બે માલગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં લોકો પાયલોટ સહિત બે લોકોના મોત થયા હતા જ્યારે ચાર ઝ્રૈંજીહ્લ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. માલગાડીઓ વચ્ચે ટક્કરને કારણે, તેમાં ભરેલા કોલસામાં આગ લાગી ગઈ. ઘણી ફાયર એન્જિનો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.

આ અકસ્માત અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સાહિબગંજમાં આ દુર્ઘટના મંગળવારે સવારે ૩:૩૦ વાગ્યાની આસપાસ સર્જાય છે. ફરક્કાથી આવતી ખાલી માલગાડી બરહેટ એમટી પર ઉભી હતી ત્યારે લાલમટિયા તરફ જતી કોલસા ભરેલી થ્રુપાસ માલગાડીએ તેને જાેરદાર ટક્કર મારી હતી. આ ટક્કર બાદ કોલસા ભરેલી માલગાડીમાં આગ લાગી હતી અને ઘણી બોગીઓ પાટા પરથી ઉતરી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

આ રેલ અકસ્માતમાં ઘાયલોની સારવાર બરહાટ સદર હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટના બાદ, વહીવટી ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી.