National

ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS તરકશ દ્વારા ૨૫૦૦ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું

પશ્ચિમી નૌકાદળ કમાન્ડ હેઠળ કાર્યરત ભારતીય નૌકાદળના ફ્રન્ટલાઈન ફ્રિગેટ INS તરકશે પશ્ચિમી હિંદ મહાસાગરમાં ૨૫૦૦ કિલોથી વધુ માદક દ્રવ્યોને સફળતાપૂર્વક અટકાવ્યો અને જપ્ત કર્યો છે. આ કામગીરી દરિયાઈ ગુનાઓ સામે લડવા અને પ્રાદેશિક સુરક્ષાને મજબૂત બનાવવા માટે ભારતીય નૌકાદળની અતૂટ પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.

જાન્યુઆરી ૨૦૨૫થી પશ્ચિમ હિંદ મહાસાગરમાં દરિયાઈ સુરક્ષા કામગીરી માટે તૈનાત, INS તરકશ સક્રિયપણે કમ્બાઈન્ડ ટાસ્ક ફોર્સ ૧૫૦ને સમર્થન આપી રહ્યું છે, જે કમ્બાઈન્ડ મેરીટાઇમ ફોર્સ નો ભાગ છે અને બહેરીનમાં સ્થિત છે. આ જહાજ બહુરાષ્ટ્રીય દળોના સંયુક્ત ફોકસ ઓપરેશન, ઓપરેશન એન્જેક ટાઇગરમાં ભાગ લઈ રહ્યું છે.

૩૧ માર્ચ ૨૫ના રોજ પેટ્રોલિંગ દરમિયાન INS તરકશને ભારતીય નૌકાદળના ઁ૮ૈં વિમાન તરફથી આ વિસ્તારમાં શંકાસ્પદ જહાજાેની ગતિવિધિઓ અંગે અનેક ઇનપુટ્સ મળ્યા હતા. આ જહાજાે ડ્રગ્સની દાણચોરી સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું માનવામાં આવે છે. કાર્યવાહી દરમિયાન આઈએનએસ તરકશે શંકાસ્પદ જહાજાેને અટકાવવા માટે પોતાની પદ્ધતિમાં બદલાવ કર્યો હતો. આસપાસના તમામ શંકાસ્પદ જહાજાેની વ્યવસ્થિત રીતે પૂછપરછ કર્યા પછી ઁ૮ૈં અને મુંબઈ ખાતે મેરીટાઇમ ઓપરેશન્સ સેન્ટર સાથે સંકલિત પ્રયાસોને કારણે, INS તરકશે એક શંકાસ્પદ ડાઉ જહાજને અટકાવ્યું અને તેના પર કાર્યવાહી કરી. વધુમાં, આઈએનએસ તરકશે શંકાસ્પદ જહાજની ગતિવિધિઓ પર નજર રાખવા અને વિસ્તારમાં આવતા-જતાં અન્ય જહાજાેને ઓળખવા માટે તેનું અભિન્ન હેલિકોપ્ટર મોકલ્યુ હતું.

મરીન કમાન્ડો સાથે એક નિષ્ણાત બોર્ડિંગ ટીમ શંકાસ્પદ જહાજ પર ચઢી અને સંપૂર્ણ તપાસ હાથ ધરી, જેના પરિણામે ઘણા સીલબંધ પેકેટ મળી આવ્યા. વધુ શોધખોળ અને પૂછપરછમાં જહાજ પર વિવિધ કાર્ગો હોલ્ડ અને કમ્પાર્ટમેન્ટમાં સંગ્રહિત ૨,૫૦૦ કિલોથી વધુ માદક દ્રવ્યો (૨૩૮૬ કિલો હશીશ અને ૧૨૧ કિલો હેરોઈન સહિત) મળી આવ્યા. ત્યારબાદ શંકાસ્પદ ડાઉ જહાજને INS તરકશના નિયંત્રણ હેઠળ લેવામાં આવ્યું અને ક્રૂને તેમની કામગીરી અને આ વિસ્તારમાં અન્ય સમાન જહાજાેની હાજરી વિશે વિગતવાર પૂછપરછ કરવામાં આવી હતી.

આ જપ્તી સમુદ્રમાં ડ્રગની દાણચોરી સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં રોકવા કરવા અને તેને નિયંત્રિત કરવા ભારતીય નૌકાદળની અસરકારકતા અને વ્યાવસાયીકરણને રેખાંકિત કરે છે. ભારતીય નૌકાદળની બહુરાષ્ટ્રીય કવાયતોમાં ભાગીદારીનો હેતુ હિંદ મહાસાગર ક્ષેત્ર માં આંતરરાષ્ટ્રીય પાણીમાં સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે.