ભારતીય અર્થતંત્ર હાલમાં મજબૂત અને સ્થિર દેખાય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર ૬.૬ ટકા રહેવાનો અંદાજ છે. ઇમ્ૈં એ કહ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં વપરાશ વધ્યો હોવાથી અર્થતંત્રને વેગ મળી રહ્યો છે. તેમજ સરકારી ખર્ચ અને રોકાણમાં પણ ઝડપથી વધારો થયો છે.
સર્વિસ સેક્ટરમાંથી નિકાસ વધુ મજબૂત બની રહી છે. ઇમ્ૈંના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય નાણાકીય વ્યવસ્થાની સ્થિતિ પણ મજબૂત છે. બેંકોના નફામાં વધારો થયો છે. તેમની પાસે પૂરતી મૂડી અને રોકડ છે. વધુમાં, બેંકો પાસે હવે ઓછી બેડ લોન (નોન-પર્ફોર્મિંગ એસેટ્સ) છે. તેમનું ડેટ પરનું વળતર (ઇર્ંછ) અને રોકાણ પરનું વળતર (ઇર્ંઈ) દાયકાઓમાં શ્રેષ્ઠ છે. મોંઘવારી અંગે રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આવનારા સમયમાં અનાજની કિંમતોમાં ઘટાડો થવાની સંભાવના છે.
બમ્પર ખરીફ અને રવિ પાક થઈ રહ્યા છે. જાે કે, આબોહવા પરિવર્તન અને વૈશ્વિક સંઘર્ષોને કારણે કેટલાક જાેખમો રહે છે. તેનાથી કિંમતો પર અસર પડી શકે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બેંકો પાસે પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે વધારાની મૂડી પણ છે.
જ્યાં સુધી ભારતીય અર્થવ્યવસ્થાનો સંબંધ છે, ઇમ્ૈંએ કહ્યું કે ૨૦૨૪-૨૫ના પ્રથમ છ મહિનામાં જીડીપી વૃદ્ધિ દર ૬ ટકા રહી શકે છે. ગયા વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં તે ૮.૨ ટકા અને બીજા ભાગમાં ૮.૧ ટકા હતો. આરબીઆઈનું માનવું છે કે આગામી કેટલાક મહિનામાં વૃદ્ધિ દર ફરી સુધરશે. કારણ કે સરકારી ખર્ચ, રોકાણ અને મજબૂત સેવા નિકાસને કારણે અર્થતંત્રને ટેકો મળશે.