કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ AVC મેન્સ વોલીબોલ કપ ૨૦૨૬માં દેશનો સૌપ્રથમ મેડલ સુરક્ષિત કરીને ઇતિહાસ રચનારી ભારતીય ટુકડીનું ગાંધીનગરમાં સન્માન કર્યું હતું.
ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને સહાયક સ્ટાફને અભિનંદન આપતા ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, “આ મેડલ ઐતિહાસિક છે, પરંતુ આ માત્ર એક શરૂઆત હોવી જાેઈએ. દરેક સિદ્ધિ વધુ મોટી જવાબદારી અને ઉચ્ચ અપેક્ષાઓ લઈને આવે છે. સરકારની દરેક નીતિ, દરેક રોકાણ અને દરેક પ્રયાસનો ઉદ્દેશ્ય આપણા રમતવીરોને તેમની સંપૂર્ણ ક્ષમતાનો અહેસાસ કરાવવામાં અને આંતરરાષ્ટ્રીય મંચ પર સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં મદદ કરવાનો છે.”
ભારતના અસાધારણ પ્રદર્શનની રૂપરેખા આપતા, કેન્દ્રીય રમતગમત મંત્રીએ જણાવ્યું હતું કે હોમ ગ્રાઉન્ડ પર ઐતિહાસિક પોડિયમ ફિનિશ (મેડલ) મેળવવો એ દેશમાં વોલીબોલના સતત થઈ રહેલા વિકાસને પ્રતિબિંબિત કરે છે અને મોટી આંતરરાષ્ટ્રીય રમતગમત ઈવેન્ટ્સનું આયોજન કરવાની દેશની ક્ષમતા દર્શાવે છે.
છફઝ્ર મેન્સ વોલીબોલ કપ એ એશિયામાં પ્રીમિયર વાર્ષિક ખંડીય પુરુષોની વોલીબોલ સ્પર્ધા છે. ૨૦૨૬ની આ આવૃત્તિ પ્રથમ પ્રસંગ છે જ્યારે ભારતે આ ટૂર્નામેન્ટની યજમાની કરી છે, જે દેશના સ્પોર્ટીંગ કેલેન્ડરમાં વધુ એક મહત્વપૂર્ણ પ્રકરણ ઉમેરે છે.
૧૪ પસંદગીના ખેલાડીઓ ધરાવતી ભારતીય રાષ્ટ્રીય ટીમ અને સર્બિયાના કોચ ડૉક્ટર ડ્રેગન મિહાઈલોવિચે આજે કેપ્ટન જેરોમ વિનીત ચાર્લ્સના નેતૃત્વમાં ગાંધીનગરમાં કેન્દ્રીય રમતગમત મંત્રી સાથે મુલાકાત કરી હતી.
ડૉ. માંડવિયાએ ખેલાડીઓને તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે મોદી સરકાર લાંબા ગાળાના આયોજન, એકેડેમી વિકાસ, પ્રતિભાની ઓળખ, સ્પોર્ટ્સ સાયન્સનો વધુ ઉપયોગ, રમતવીરોના કલ્યાણ અને ઉત્તમ આંતરરાષ્ટ્રીય એક્સપોઝર દ્વારા એક મજબૂત રમતગમત ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહી છે.
તેમણે વધુમાં પુનરોચ્ચાર કર્યો હતો કે ભારતનું રમતગમત વિઝન વિવિધ રમત શાખાઓમાં સતત ઉત્કૃષ્ટતા લાવવા અને દેશને વિશ્વના અગ્રણી રમતગમત રાષ્ટ્રોમાં સ્થાપિત કરવા પર કેન્દ્રિત છે.
ભારતીય વોલીબોલના ભવિષ્યમાં વિશ્વાસ વ્યક્ત કરતા ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે ટીમની આ ઐતિહાસિક સિદ્ધિ દેશભરના યુવા રમતવીરોને પ્રેરણા આપશે અને તમામ સ્તરે આ રમતના વિકાસને નવી ગતિ પ્રદાન કરશે.
આ ટૂર્નામેન્ટમાં ભારતે સમગ્ર શ્રેણી દરમિયાન પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું, જેમાં પૂલ સ્ટેજ દરમિયાન ટીમ અજેય રહી હતી અને એશિયાની કેટલીક મજબૂત ટીમો સામે સાતત્ય અને સ્થિતિસ્થાપકતા દર્શાવી હતી.
ત્યારબાદ બ્રોન્ઝ મેડલ માટેના પ્લે-ઓફ મુકાબલામાં ટીમે બહેરીનને ૩-૧ થી હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો, જે છફઝ્ર મેન્સ વોલીબોલ કપના ઇતિહાસમાં ભારતનો અત્યાર સુધીનો પ્રથમ મેડલ અને સવર્શ્રેષ્ઠ ફિનિશ છે.
ટીમ વતી બોલતા, કેપ્ટન જેરોમ વિનીત ચાર્લ્સે ભારત સરકાર દ્વારા મળેલા સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આ ઐતિહાસિક મેડલ દેશના લોકોને સમર્પિત કર્યો હતો.
વધુમાં તેમણે કહ્યું, “સરકાર તરફથી મળેલા અતૂટ સમર્થન માટે અમે ખૂબ જ આભારી છીએ. વિશ્વકક્ષાની સુવિધાઓ, તાલીમનું વાતાવરણ, રિકવરીની વ્યવસ્થાઓ અને એકંદર સમર્થનથી અમને અમારી રમત પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાની તક મળી.”
તેમણે વધુમાં ઉમેર્યું, “આ ઐતિહાસિક મેડલ માત્ર અમારો નથી પરંતુ દેશના એ દરેક નાગરિકનો છે જેમણે સ્ટેડિયમ ભરી દીધું અને સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અમારો ઉત્સાહ વધાર્યો. તેમના પ્રોત્સાહને જ અમને દરેક પોઇન્ટ માટે લડવાની તાકાત આપી.”
મુખ્ય કોચ ડ્રેગન મિહાઈલોવિચે ભારતીય રમતગમત માટે સરકારના લાંબા ગાળાના વિઝનની પ્રશંસા કરી હતી અને આંતરરાષ્ટ્રીય રમતગમત મંચ પર ભારતના ભવિષ્ય અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. “ભારતીય રમતગમત જે દિશામાં આગળ વધી રહી છે તે અત્યંત પ્રોત્સાહક છે. આયોજન, રોકાણ અને એથ્લેટ સપોર્ટ સિસ્ટમ જે સરકારે પહેલેથી જ ગોઠવી દીધી છે અને જેનું આયોજન કરવામાં આવી રહ્યું છે, તે જ હાઇ-પર્ફોર્મન્સ રમત માટે જરૂરી છે. જાે આ ગતિ ચાલુ રહેશે, તો મને ખાતરી છે કે ભારત નિયમિતપણે દરેક મોટી આંતરરાષ્ટ્રીય રમતગમત ઈવેન્ટમાં પોડિયમ પર સ્થાન મેળવશે.”
બ્રોન્ઝ મેડલ જીતવાથી ભારતને મૂલ્યવાન હ્લૈંફમ્ વર્લ્ડ રેન્કિંગ પોઈન્ટ્સ મળ્યા છે, જેના પરિણામે ભારતીય પુરુષોની ટીમ ૧૮ સ્થાનની છલાંગ લગાવીને વર્લ્ડ નં. ૬૦ થી વર્લ્ડ નં. ૪૨ પર પહોંચી ગઈ છે, જે વૈશ્વિક વોલીબોલ મંચ પર ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.

