International

વડાપ્રધાન માર્ક કાર્નીને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ કેનેડા પોલીસે મોન્ટ્રીયલના રહેવાસીની ધરપકડ કરી

કેનેડિયન કાયદા અમલીકરણ વિભાગે દેશના વડાપ્રધાન માર્ક કાર્નીને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ૫૧ વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે.

રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ ફેડરલ પોલીસિંગ ઇસ્ટર્ન રિજિયન દ્વારા સોમવારે ક્વિબેક પ્રાંતના મોન્ટ્રીયલના રહેવાસી માર્ક-આન્દ્રે પોર્લિયરની ધરપકડ અને તેના વિરુદ્ધ આરોપો મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી. પોર્લિયર પર એક સુરક્ષિત વ્યક્તિને જાનથી મારી નાખવાની અથવા શારીરિક નુકસાન પહોંચાડવાની ધમકી આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. “તેણે કથિત રીતે સેનેટરને મોકલેલા ઇમેઇલમાં ધમકીભર્યા ટિપ્પણીઓ કરી હતી, જેમાં અન્ય વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે,” ઇઝ્રસ્ઁ એ એક નિવેદનમાં જણાવ્યું હતું.

ઇઝ્રસ્ઁ ની ઇન્ટિગ્રેટેડ નેશનલ સિક્યુરિટી એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા ૫ ઓગસ્ટના રોજ શરૂ કરાયેલી તપાસના પરિણામે આ ધરપકડ કરવામાં આવી હતી, અને પોલીસ ઝડપથી તેની ધરપકડ કરવામાં સફળ રહી હતી.

તે ૮ ઓગસ્ટના રોજ મોન્ટ્રીયલ કોર્ટહાઉસમાં હાજર થયો હતો.

વડાપ્રધાન માર્ક કાર્ની હાલ વેકેશન પર ઇટાલીમાં છે.

“આરસીએમપી કોઈપણ ધમકીઓને ગંભીરતાથી લે છે જે વ્યક્તિની સુરક્ષાની ભાવનાને અસર કરી શકે છે. હિંસક નિવેદનો સહન કરવામાં આવશે નહીં. ગુનેગારો પર નોંધપાત્ર સજાઓ સહિત ફોજદારી આરોપોનો સામનો કરવો પડી શકે છે. જાે આપણે આ પ્રકારના ગુનાનો સામનો કરવો હોય તો આવી ઘટનાઓની જાણ કરવી જ જાેઇએ,” નિવેદનમાં ઉમેર્યું.

આ વર્ષે પહેલી વાર એવું બન્યું નથી કે કાર્ને ધમકીનો સામનો કરવો પડ્યો હોય.

આ વર્ષે માર્ચમાં, આરસીએમપીએ જાહેરાત કરી હતી કે મેનિટોબામાં તેના ફેડરલ પોલીસિંગ નોર્થવેસ્ટ રિજનના રાષ્ટ્રીય સુરક્ષા અમલીકરણ વિભાગે ૫૫ વર્ષીય પોલ રિન્ડલની ધરપકડ કરી હતી. તેમના પર કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નેને મૃત્યુદંડની ધમકી આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. રિન્ડલે જાન્યુઆરીમાં કાર્નીને લક્ષ્ય બનાવતી ધમકીઓ પોસ્ટ કરવા અને યહૂદી અને મુસ્લિમ સમુદાયો પ્રત્યે નફરત ઉશ્કેરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ નો ઉપયોગ કર્યો હોવાનો આરોપ છે.

આરસીએમપી ફેડરલ પોલીસિંગને આતંકવાદ, જાસૂસી, સાયબર હુમલાઓ, પરમાણુ સુરક્ષા જાેખમો, વિદેશી પ્રભાવિત પ્રવૃત્તિઓ, આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષિત વ્યક્તિ ની સુરક્ષા સાથે સંકળાયેલી ઘટનાઓ તેમજ રાષ્ટ્રીય સુરક્ષા માહિતીના ગેરકાયદેસર પ્રકાશન અને આતંકવાદી ભંડોળથી ઉદ્ભવતા ફોજદારી ગુનાઓની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.