National

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગાયના છાણના યોગ્ય ઉપયોગ માટે દિલ્હીમાં કમ્પ્રેસ્ડ બાયો-ગેસ પ્લાન્ટ્સની સ્થાપના માટે MCD અને NDDB વચ્ચે MoU પર હસ્તાક્ષર થયા

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિમાં, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એ નવી દિલ્હીમાં ગાયના છાણના યોગ્ય ઉપયોગ માટે દિલ્હીમાં કમ્પ્રેસ્ડ બાયો-ગેસ પ્લાન્ટ્સની સ્થાપના માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રસંગે કેન્દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ પ્રધાન શ્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલ્લન સિંહ, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી તરનજીત સિંહ સંધુ, મુખ્ય મંત્રી શ્રીમતી રેખા ગુપ્તા, કેન્દ્રીય ગૃહ સચિવ, કેન્દ્રીય સહકારિતા સચિવ અને કેન્દ્ર તેમજ દિલ્હી સરકારના અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે આજે સહી કરાયેલ કરાર દેશના તમામ મોટા શહેરોને સ્વચ્છ બનાવવા માટે એક મોડલ તરીકે કામ કરશે. તેમણે ઉમેર્યું હતું કે આ પહેલથી પશુપાલકોની આવકમાં તો વધારો થશે જ પરંતુ સ્વચ્છતામાં પણ સુધારો થશે, કમ્પ્રેસ્ડ બાયો-ગેસ (ઝ્રમ્ય્) ઉત્પન્ન થશે અને ઓર્ગેનિક ખેતીને મજબૂત વેગ મળશે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે દેશના તમામ નાગરિકો યમુના નદીનું પાણી સ્વચ્છ બને તેમ ઈચ્છે છે, પરંતુ નદીમાં ગંદકી અને સીવેજના નિકાલને રોક્યા વિના આ સ્વપ્ન સાકાર થઈ શકે નહીં. તેમણે ઉમેર્યું હતું કે આ કરાર યમુના નદીને શુદ્ધ કરવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને પૂર્ણ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે સીવરના પાણી અને ઔદ્યોગિક કચરાના શુદ્ધિકરણ માટે દિલ્હીમાં આશરે ૮૦ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ પર કામ શરૂ થઈ ચૂક્યું છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં યમુના નદીમાં ગાયનું થોડું પણ છાણ ન જાય તે સુનિશ્ચિત કરવા માટે વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે ૧.૨૫ લાખ પશુઓના કચરાના યોગ્ય નિકાલ વિના આ શક્ય બનશે નહીં. શ્રી શાહે જણાવ્યું હતું કે ડિસેમ્બર ૨૦૨૮ સુધીમાં, અમે સુનિશ્ચિત કરીશું કે એક લિટર પણ ગંદુ પાણી યમુના નદીમાં ન જાય.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે નાંગલી, ઘોગા-ગોયલા અને ગાઝીપુર કચરા નિકાલ પ્લાન્ટ્સ ખાતે ગાયના છાણની પ્રોસેસિંગનું કામ પૂર્ણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રતીકાત્મક પહેલ તમામ શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા સુનિશ્ચિત કરવા અને દેશભરના કરોડો પશુપાલકોની આવક વધારવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજનો કરાર દેશભરના તમામ મહાનગરો માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે અને પાછળથી ગાયના છાણના પ્રોસેસિંગ દ્વારા તે સમગ્ર ભારતના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા પશુપાલકો માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થશે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે આ કરારમાં પશુપાલકોને ગાયના છાણના ?૧ પ્રતિ કિલોગ્રામ ચૂકવવાની જાેગવાઈ સામેલ છે.