National

યુપીના હમીરપુરમાં વાવાઝોડા દરમિયાન નિર્માણાધીન પુલ ધરાશાયી થતાં પાંચ લોકોના મોત, અનેક ઘાયલ

ઉત્તર પ્રદેશના વાતાવરણમાં પલટો આવતા હમીરપુર જિલ્લામાં ભારે પવન સાથે વાવાઝોડા દરમિયાન બેતવા નદી પરના નિર્માણાધીન પુલનો એક ભાગ તૂટી પડતાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે, એમ અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું.

અહેવાલો અનુસાર, બાંધકામ દરમિયાન ભારે પવનને કારણે પુલનો સ્લેબ અને થાંભલો, સ્કેફોલ્ડિંગ સ્ટ્રક્ચર સહિત તૂટી પડ્યા હતા. આ ઘટના કુરારા પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના બાંધકામાધીન કંદૌર-મોરાકંદર પુલ પર બની હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યારે માળખું તૂટી પડ્યું ત્યારે ઘણા કામદારો નીચે હાજર હતા. અત્યાર સુધીમાં પાંચ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, પરંતુ હજુ પણ કાટમાળ નીચે વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે.

બચાવ કામગીરી ચાલુ છે

ઘટના બાદ, જિલ્લા વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (જીડ્ઢઇહ્લ) ની ટીમો, સ્થાનિક પોલીસ અને વહીવટી અધિકારીઓ સાથે, કાટમાળ સાફ કરવા અને બચી ગયેલા લોકોને શોધવામાં રોકાયેલા છે.

સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, સર્કલ ઓફિસર (ર્ઝ્રં) અને અનેક સ્ટેશનોના પોલીસ કર્મચારીઓ સહિત વરિષ્ઠ અધિકારીઓ અકસ્માત સ્થળે હાજર છે.

મુખ્યમંત્રી યોગીએ નોંધ લીધી-

હમીરપુરમાં પુલ તૂટી પડવાની ઘટના પર પ્રતિક્રિયા આપતા, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માતની તાત્કાલિક નોંધ લીધી અને જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો.

મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને વહીવટીતંત્રને તાત્કાલિક વરિષ્ઠ અધિકારીઓને અકસ્માત સ્થળે મોકલવા અને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો.

તેમણે અધિકારીઓને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (જીડ્ઢઇહ્લ) સાથે સંકલન કરીને બચાવ પ્રયાસો વધુ તીવ્ર બનાવવા પણ સૂચના આપી.

મુખ્યમંત્રી યોગીએ અધિકારીઓને ઘાયલોને યોગ્ય તબીબી સારવાર સુનિશ્ચિત કરવા અને મૃતકોના પરિવારોને યોગ્ય વળતર આપવાનો આદેશ આપ્યો.

મુખ્યમંત્રીએ અધિકારીઓને અસરગ્રસ્ત પરિવારો સાથે સીધા સંપર્કમાં રહેવા અને તેમને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવાની ખાતરી કરવા પણ સૂચના આપી.