Maharashtra

તુનિષાના મોત મામલે શીજાનની બહેનોએ કહ્યું “અમારા મૌનને નબળાઈ માની રહ્યા છે”

મુંબઈ
ટીવી એક્ટ્રેસ તુનીષા શર્માના મૃત્યુ મામલે ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં બંધ અભિનેતા શીજાન ખાનના પરિવારે નિવેદન આપ્યું છે. શીજાનની બહેનો ફલક નાઝ અને શફાક નાઝ પણ ટીવી અભિનેત્રીઓ છે. આ નિવેદન ફલક અને શફાક બંને દ્વારા જારી કરવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, અમારા મૌનને અમારી કમજાેરી સમજવામાં આવે છે, તે અમારા હૃદયને દુઃખ આપે છે. કદાચ આને ‘ઘોર કળિયુગ’ કહવાય છે. શીજાનને નકારનાર તમામ લોકો માટે- “તમારી જાતને આ પૂછો – શું તમે પરિસ્થિતિના આધારે વાત કરી રહ્યા છો, કે પછી તમે ધર્મ પ્રત્યે નફરતથી વાત કરી રહ્યા છો? મીડિયાના એક વર્ગના પત્રકારત્વનું સ્તર એટલું નીચે ગયું છે કે, તે માત્ર ્‌ઇઁના આધારે જ કામ કરે છે. અમે પણ નોટિસ કર્યું છે, અને જાહેર જનતા તેમજ મીડિયા પોર્ટલના ખૂબ આભારી છીએ જેઓ ખોટા અહેવાલો દ્વારા જાેવામાં સક્ષમ છે – અમને તમારા જેવા વધુ લોકોની જરૂર છે. પરંતુ એકંદરે, આ લોકો સતત આ રીતે શીજાનને બદનામ કરી રહ્યા છે, તે જાેવું ખૂબ જ ચિંતાજનક છે. નોંધપાત્ર રીતે, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાની એક અદાલતે તેની સહ-અભિનેત્રી તુનિષા શર્માની આત્મહત્યા માટે કથિત રૂપે ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરાયેલ અભિનેતા શીજાન ખાનને શનિવારે ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. આ અગાઉ, શીજનની બહેનો વતી એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, આ સંકટના સમયમાં અમારી ગોપનીયતાનું ધ્યાન રાખી અમને થોડો સમય આપો. આ દુર્ભાગ્યપૂર્ણ સમયમાં અમે એક અમૂલ્ય જીવ ગુમાવ્યો છે, જ્યારે એકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે. અમને ભારતની ન્યાય વ્યવસ્થામાં પૂરો વિશ્વાસ છે અને અમને આશા છે કે, સત્ય બધાની સામે આવશે. તેમણે કહ્યું હતું કે, અમારા મૌનને અમારી નબળાઈ ન સમજાે. યોગ્ય સમય આવશે ત્યારે અમે સાચા સમયમાં વાત કરીશું. તુનિષાની માતાએ આરોપ લગાવ્યો છે કે, શીજાને છેતરપિંડી કરી અને તેની પુત્રીનો ઉપયોગ કર્યો હતો. તેણીએ એવો પણ દાવો કર્યો છે કે, ખાને તેની પુત્રીને એક ટીવી સિરિયલના સેટ પર થપ્પડ મારી હતી જેનો તેઓ બંને એક ભાગ હતા અને તે તુનિષાને ઉર્દૂ શીખવી રહ્યો હતો અને તેણી હિજાબ પહેરે તેવું ઇચ્છતી હતી.

Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *