Delhi

પાકિસ્તાન ખરેખર ભારત સાથે શાંતિ ઈચ્છે છે?!..પીએમ શરીફના ડ્રામાનું સત્ય શું છે તે જાણો

નવીદિલ્હી
પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે તાજેતરમાં કહ્યું હતું કે, પાકિસ્તાને “પાઠ” શીખ્યા છે અને તે ભારત સાથે શાંતિથી રહેવા માંગે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બંને પડોશીઓએ બોમ્બ અને દારૂગોળો પર તેમના સંસાધનોનો બગાડ ન કરવો જાેઈએ. પરંતુ અચાનક ભારત પ્રત્યે પાકિસ્તાનના વલણમાં આવા બદલાવને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. શું પાકિસ્તાન ખરેખર શાંતિ ઈચ્છે છે કે, પછી કોઈ દબાણને કારણે તે શાંતિની વાત કરી રહ્યું છે? યુએસએની યુનિવર્સિટી ઓફ ડેલાવેરમાં ઇસ્લામિક સ્ટડીઝ પ્રોગ્રામના ડાયરેક્ટર પ્રોફેસર મુક્તદાર ખાનનું માનવું છે કે, પાકિસ્તાને સંયુક્ત આરબ અમીરાતના દબાણમાં શાંતિ મંત્રણા શરૂ કરી છે. શાહબાઝ શરીફે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ ફરીથી લાગુ થયા પછી જ ભારત સાથે વાતચીત કરવામાં આવશે. આ બાબત અંગે મુક્તદાર ખાને કહ્યું કે, ભારતમાં લઘુમતીઓનો મુદ્દો સ્પષ્ટપણે ત્યાં લઘુમતી અને બહુમતી વચ્ચે છે. પાકિસ્તાનને આનો કોઈ અર્થ ન હોવો જાેઈએ. ખાસ કરીને જાે આપણે ભારતમાં મુસ્લિમોના અમુક વર્ગ સામે નફરતની વાત કરીએ તો તેના માટે પાકિસ્તાન પણ જવાબદાર છે. ેંછઈમાં શા માટે શાંતિનો સૂર ઉઠ્‌યો? તે.. જાણો.. પ્રોફેસર મુક્તદારનું માનવું છે કે, ેંછઈમાં શાહબાઝ શરીફે ટીવી પર દુનિયા પાસેથી તેમના દેશ માટે આર્થિક મદદની માંગ કરી હતી. મુક્તદારનું કહેવું છે કે, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ેંછઈ પાકિસ્તાનને સસ્તું તેલ અને લોન આપી રહ્યું છે. આવી સ્થિતિમાં શરીફની ેંછઈ મુલાકાત પણ તેમની હાજરી છે. આ જ કારણ હતું કે, શરીફે ત્યાં જઈને ભારત સાથે શાંતિ સ્થાપવાની વાત કરી હતી. મુક્તદાર તેનું એક મોટું કારણ પણ જણાવે છે કે પાકિસ્તાની સેના તેને પોતાના દેશમાં આવું કરવા દેશે નહીં. છેલ્લા કેટલાક વર્ષોમાં ગલ્ફ દેશો સાથે ભારતના સંબંધો સુધર્યા છે. આવી સ્થિતિમાં શરીફ પણ મદદ માટે આ દેશો સાથે વાતચીત ચાલુ રાખવા માંગે છે.

Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *