આજથી નવરંગી નવરાત્રી મહોત્સવ નો શુભપ્રારંભ થઈ રહ્યો છે.આ વર્ષે પાર્ટી પ્લોટ કે મોટા મેદાનો મા
ગરબી ની છુટ અપાય નથી પણ આ શેરી ગરબા મા 400 લોકો ની સાથે મંજૂરી સરકાર શ્રી દ્વારા અપાય છે.ત્યારે
શાપર ગામ મેઈન રોડ પર આવેલ મામાં સાહેબ મંદિર ખાતે માતાજી ના નવલા નોરતા નો મંગલ પ્રારંભ થઈ ચુક્યો છે.ત્યારે મંદિર ના પટાંગણમાંજ઼ માતાજી ની સ્થાપના કરવામાં આવી છે.અહીંયા નવ દીવશ માતાજી ના પ્રાચીન અર્વાચીન ગરબા ભુવા રાસ સહીત ના રાશ યોજાશે. અને મંદિર ને પણ અનેરો શણગાર કરાયો છે. અહીંયા મહા આરતી મા પણ મોટી સંખ્યા મા માય ભક્તો ઉમટી પડ્યા હતા.અને આરતી નો લાભ લીધો હતો નવ દિવસ માતાજી ની આરાધના કરવા મા આવશે.શાપર-વેરાવળ ના જુદા જુદા વિસ્તારો મા પારંમપારિક ગરબી ના કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે શહેર મા કોવીડ પરિસ્થિતિ મા સરકાર ની ગાઈડ લાઈન ને અનુસરી ને અહીંના શાન્તિધામ સોસાયટી. વેરાવળ ગામ. અને શાપર ગામ સહીત ના વિસ્તારો મા શેરી નવરાત્રી મા પ્રાચીન ગરબા દ્વારા બાળાઓ આધ્યા શક્તિ ની ઉપાસના કરી રહી છે.


