મકસુદ કારીગર,કઠલાલ
ગુજરાત રાજ્ય વકફ બોર્ડ અત્યારે મુસ્લિમ સભ્યો લેવામાં આવેલ નથી.છેલ્લ બે ટર્મથી અને હમણાં નિમણુક પામેલ સભ્યો જેને રાજ્ય સરકાર ધ્વારા ડીજોલ કરવામાં આવેલ બોર્ડ કમિટીમાં ફકીર સમાજનો એકપણ સભ્ય લેવામાં આવતો નથી અમારા ધ્વારા વકફ સુધાર ૨૦૧૩ અધિનિયમ અભ્યાસ કરતા કલમ ૧૪ બોર્ડ રચના બંધારણ નીચે મુજબ છે.
(બી) રાજ્ય રાજ્ય સરકાર પોતે યોગ્ય ગણે તેવા,નીચેના બનેલ દરેક મતદાર મંડળમાંથી ચૂંટવાના એક અથવા બે થી વધુ ન હોય તેટલા સભ્યો-
(1) રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા હોય તેવા સંસદના મુસ્લિમ સભ્યો.
(2) વિધન મંડળના મુસ્લિમ સભ્યો,
(3) બાર કાઉન્સિલના મુસ્લિમ સભ્યો.
(4) એક લાખ અને તેથી વધુ વાર્ષિક આવક ધરાવતા વક્ફના મુતવલ્લીઓ.
(ડી) શિયા અને સુન્ની ધર્મશાસ્ત્રોમાં નિષ્ણાંત એવા બન્ને સમૂહોમાંથી એક એક વ્યક્તિ રાજ્ય સરકાર નીમી શકશે.
ઉપરોક્ત એક્ટમાં જોગવાઈ છે પણ જે ફકીર સમાજ આજીવન વકફ જીવન જીવે છે અને દરેક ધર્મસ્થાન સાથે જોડાયેલ છે જેમની આજે ગુજરાતના તમામ વકફ મિલકતો અને તેની ખિદમતોમા જોવામાં આવે તો ૮૫% થી વધુ વકફ મિલકત સાથે ફકીર મુસ્લિમ સમાજ જોડાયેલ છે.જેમને વકફ બોર્ડના સભ્યમાં લેવામાં આવતા નથી તેમજ તેમની વકફ એક્ટમાં પણ જોગવાઈ કરવામાં આવેલ નથી.આજે ગુજરાતમાં ફકીર સમાજની વસ્તી આશરે ચૌદ લાખ જેટલી છે.પણ તેમનું જીવન વકફ સાથે જોડાયેલું હોવા છતાં તેમના સમાજના પ્રતિનિધિ લેવામાં આવતા નથી.વડાપ્રધાન ધ્વારા પસમાંદા સમુદાયને આગળ લાવવાની વાત કરવામાં આવે છે જે અનુસંધાને પણ અમારો સમાજ પ્રતિનિધિત્વ માગી રહ્યો છે.રાજ્ય સરકાર અમારા સમાજના લોકોને વકફ બોર્ડની કમેટીમાં નિમણુક આપશે તો અમારો સમાજ આભારી રહેશે.અમારી આપ શ્રીને નમ્ર વિનંતી કે ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં ફકીર સમાજની નિમણુક કરવા આજરોજ ખેડા કલેક્ટર શ્રી મારફતે માનનીય મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્ય ને એક આવેદનપત્ર ચરોતર દિવાન સમાજ ના સમાજ અગ્રણી સાબિરશા કે.દિવાન (એસ.કે.જંત્રાલવાલા) ની આગેવાની માં હિંમતનગર થી રજબ ફકીર ના માર્ગદર્શન અને મુસ્તુફા દિવાન નડિયાદ, સાબિરશા દિવાન ઉત્તરસંડા, હનીફશા રમઝુશા દિવાન નરસંડા,નઈમશા સલીમશા દિવાન વગેરે ની હાજરી માં સુપ્રત કરવામાં આવ્યું.


