સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
એનપીઈ ,નેશનલ પોલીસી ઓફ એજ્યુકેશન અંતર્ગત આજરોજ આઇટીઆઇ સાવરકુંડલા ઔદ્યોગિક અને તાલીમ કેન્દ્રની શાળા નંબર બે સાવરકુંડલા કન્યા શાળાની દીકરીઓએ મુલાકાત લીધી જેમાં આ ઔદ્યોગિક તાલીમ સંસ્થાનમાં થઈ રહેલી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ ધોરણ આઠ પાસ પછી પણ વ્યક્તિ બેરોજગાર ન રહી શકે અને રોજગારી મેળવી શકે તે માટેના અલગ અલગ જે બધા વિભાગો હતા એનું તલસ્પર્શી જ્ઞાન તેના પ્રોફેસરશ્રીઓએ આપેલ જેમાં દીપકભાઈ તેમજ તેમના તમામ પ્રોફેસરોએ વ્યક્તિગત રીતે રસ લઈ અને આપેલ તો આ ૧૦ બેગલેસ દિવસનો જે પહેલો દિવસ જે છે એ બહુ સુખદ તેમજ અનુભવજન્ય રહ્યો આચાર્ય શ્રી ભારતીબેન, દિવ્યકલાબેન, રેખાબેન, હર્ષાબેન , મૈત્રીબેન , સંદીપભાઈ , અંકિતાબેન, દરેક ગુરૂજીઓએ બાળકો સાથે રહીને માર્ગદર્શન આપ્યું હતું


