બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં અખંડ આનંદ ગૃપ દ્વારા ચકલીઘર અને પાણીના કુંડાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યુ.અખંડ આનંદ ગૃપના પ્રવીણભાઈ ભરવાડ અને ગોપાલભાઈ સિંધવ દ્વારા પક્ષીઓ માટે પાણી પીવા માટે માટી ના કુંડા તેમજ ચકલીઘર નુ રાણપુર શહેરમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું આ સેવા કાર્યક્રમ મા અખંડ આનંદ ગૃપના સોહિલભાઈ ખટાણા, મુકેશભાઈ સભાડ,મયુરસિંહ ચુડાસમા, રણજીતભાઇ ધરજીયા સહીતના અખંડ આનંદ ગૃપના સભ્યો હાજર રહ્યા હતા…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


