નવીદિલ્હી
ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર આ દિવસોમાં ચર્ચામાં છે. અર્જુને હાલમાં જ ૈંઁન્માં ડેબ્યૂ કર્યું છે. તેણે પોતાની બીજી મેચમાં પહેલી વીકેટ લીધી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે તેણે છેલ્લી ઓવરમાં જે રીતે સમજદારીપૂર્વક બોલિંગ કરી, તેના કારણે દરેક તેના પ્રશંસક બની ગયા છે. હૈદરાબાદને છેલ્લી ઓવરમાં જીતવા માટે ૨૦ રનની જરૂર હતી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ આ યુવા બોલર પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અર્જુને પોતાના કેપ્ટનના વિશ્વાસ પર ખરા ઉતર્યો અને માત્ર ૫ રન ખર્ચીને ટીમને યાદગાર જીત અપાવી. પુત્રનું આ પ્રદર્શન જાેઈને સચિન પણ ઘણો ખુશ થયો. માસ્ટર બ્લાસ્ટરે અર્જુનને એક ખાસ ભેટ આપી છે જેને તે હંમેશા યાદ રાખશે. અર્જુન તેંડુલકરે ૨.૫ ઓવરમાં ૧૮ રન આપીને ભુવનેશ્વર કુમારની વિકેટ લીધી હતી. જીત બાદ જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ડ્રેસિંગ રૂમમાં પરત ફરી ત્યારે સચિને અર્જુનને બેજ આપ્યો હતો. આ બેજ મુંબઈ ઈન્ડિયન્સના ડ્રેસિંગ રૂમમાં પ્લેયર ઓફ ધ મેચને આપવામાં આવે છે. બેજ પહેર્યા બાદ સચિને કહ્યું કે, પરિવારમાં ઓછામાં ઓછી એક વિકેટ આવી છે. મુંબઈ ઈન્ડિયન્સે આ વીડિયો પોતાના ઓફિશિયલ ટિ્વટર હેન્ડલ પર શેર કર્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ૨૩ વર્ષીય અર્જુન તેંડુલકરને ૈંઁન્માં પદાર્પણ કરવા માટે બે સીઝન રાહ જાેવી પડી હતી. ગત વખતે મુંબઈ ઈન્ડિયન્સે તેને ડેબ્યૂ કરવાની તક આપી ન હતી. ૈંઁન્ની ૧૬મી સિઝનમાં અર્જુન તેંડુલકરે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ડેબ્યૂ કર્યું હતું. જાેકે, તે ડેબ્યૂ મેચમાં માત્ર ૨ ઓવર જ ફેંકી શક્યો હતો, પરંતુ તેને કોઈ સફળતા મળી ન હતી. અર્જુન તેંડુલકરે તેનો પહેલો શિકાર તે ખેલાડી બનાવ્યો જેણે ૧૫ વર્ષ પહેલા રણજી ટ્રોફીની મેચમાં તેના પિતા સચિન તેંડુલકરને શૂન્યના અંગત સ્કોર પર બોલ્ડ કર્યો હતો. ભુવીએ ૨૦૦૮-૦૯ની સિઝનમાં સચિનને ??બોલિંગ કરીને ઘણી હેડલાઈન્સ બનાવી હતી. જાેકે, હવે પુત્ર અર્જુને પિતાના ખાતાની બરાબરી કરવાનો પ્રયાસ કર્યો છે. અર્જુન છેલ્લી ઓવરમાં નવા બોલને સ્વિંગ કરવા અને યોર્કર પર ખૂબ ધ્યાન આપી રહ્યો છે.


