સોનીપત
સિંઘુ સરહદ પર ભગવંત સિંહ અને ગોવિંદપ્રીત સિંહના શરણાગતિ પહેલા નિહાંગ બાબા રાજા રામ સિંહે કહ્યું કે, ‘વહીવટીતંત્રે હવે અમારી પાસેથી વધુ ધરપકડની માંગ ન કરવી જાેઈએ. જાે પોલીસ અધિકારીઓ કોઈ અન્યનીધરપકડ કરવાની માંગ કરશે તો જે ચાર સાથીઓ અંદર છે તેમણે પણ બહાર છોડાવી લાવશે. શનિવારે સાંજે, તમામ નિહંગ ગ્રુપોએ સિંઘુ બોર્ડર પર પડાવ નાખતા બેઠા હતા. જ્યાં આ મુદ્દે બેઠક બાદ ચર્ચા કરવામાં આવી હતી. ત્યાર બાદ બાબા અમનદીપ સિંહ આત્મસમર્પણ કરનાર બંને નિહંગો ભગવંત સિંહ અને ગોવિંદ પ્રીત ને લઈને બાબા રામ સિંહની પાસે પહોંચ્યા હતા. કુંડલી સરહદે શનિવારે રાત્રે શરણાગતિ સ્વીકારેલા બે નિહંગોમાંથી એક ભગવંત સિંહે કહ્યું કે લખવીર સાથે જે કરવામાં આવ્યું તે યોગ્ય હતું. જે કોઈ ગુરુના શબ્દનું અપમાન કરશે, તેમને આ રીતે સજા થશે. જે અપમાન કરે છે તેનો એવો જ અંજામ થશે. જે પણ સંપ્રદાય કરી રહ્યો છે અને તે આગળ પણ કરતો રહેશે, તે યોગ્ય છે.લખવીર સિંહની હત્યા પર બહુજન સમાજ પાર્ટી (બસપા) સુપ્રીમો માયાવતી દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો મુદ્દે નિહંગ બાબા રામ સિંહે કહ્યું કે બસપા બ્રાહ્મણોની પાર્ટી બની ગઈ છે. હવે દલિતો સાથે તેને કોઈ લેવાદેવા નથી રહ્યો. બસપાના મહામંત્રી સતીશ મિશ્રા બ્રાહ્મણ છે અને આજની તારીખમાં તેઓ જ બસપા છે. ગુરુના અનાદર બદલ બાબા રામ સિંહે શિરોમણી અકાલી દળને પણ જવાબદાર ઠેરવ્યા હતા.બાબા અમનદીપ સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જાે પોલીસ-વહીવટીતંત્ર વધુ ધરપકડ માટે કહે છે, તો તેઓએ પોતાની તૈયારી કરવી જાેઈએ. હવે આ કેસમાં અન્ય કોઇ નિહંગની ધરપકડ કે આત્મસમર્પણ કરાવવાની વાત કરવામાં આવશે તો, અમે અમારા ચાર સાથીઓને અંદર રહેવા પણ નહીં દઈએ. અત્યારે અમે પોલીસ-વહીવટીતંત્રને સહકાર આપી રહ્યા છીએ, પરંતુ તેનો અર્થ એ નથી કે અમે તેમનો કોઈપણ પ્રકારનો અતિરેક પણ સહન કરતાં રહીશું.હરિયાણાના સોનીપતની સિંઘુ બોર્ડર પર બેઠેલા નિહંગ ગ્રુપે બે દિવસ પહેલા અહીં લખવીર સિંહની હત્યાના સંદર્ભમાં હરિયાણા પોલીસને પડકાર ફેંક્યો છે. શનિવારે રાત્રે બે નિહંગો ભગવંત સિંહ અને ગોવિંદપ્રીત સિંહના આત્મસમર્પણ બાદ નિહંગોએ સ્પષ્ટ કરી દીધું કે હવે તેઓ તેમના કોઈ સાથીનું આત્મસમર્પણ નહીં કરાવે. નિહંગે સોનીપત પોલીસ-વહીવટીતંત્રને ચેતવણી આપી હતી કે હવે જાે અન્ય કોઈ નિહંગની ધરપકડ કરવાની વાત કરી, તો તે આ કેસમાં આત્મસમર્પણ કરી ચૂકેલા તેના ચાર સાથીઓને છોડાવી લેશે. કુંડલી પોલીસ સ્ટેશનના પ્રભારી રવિ કુમારે, જે બંને નિહંગને લેવા આવ્યા હતા, તેઓએ અહીંના બાબા અમનદીપ સિંહ, બાબા રામ સિંહ અને અન્ય નિહંગ ગ્રુપના વડાઓ સાથે વાત કરી. આ દરમિયાન બાબા અમનદીપ સિંહે ફરી એકવાર કહ્યું કે બાબા રાજા રામ સિંહે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે જેઓ ગુરુ ગ્રંથ સાહિબનું અપમાન કરશે તેને આ રીતે જ સજા મળશે અને નિહંગ ગ્રુપો આ મુદ્દે કોઈ ખુલાસો કરશે નહીં. નિહંગ ભગવંત સિંહ અને ગોવિંદપ્રીત સિંહના શરણાગતિ પહેલા, નિહંગ ગ્રુપના વડા બાબા રાજા રામ સિંહે કહ્યું કે, ‘૨૦૧૫ થી, પંજાબ અને અન્ય રાજ્યોમાં શ્રી ગુરુ ગ્રંથ સાહિબનું અપમાન કરવાની ઘટનાઓ વધી છે. કોઈએ તેમનો હિસાબ કર્યો? પરિસ્થિતિ જાેઈને, અમારા સાથીઓએ અપમાન કરનારાઓને સજા કરવા મજબૂર થયા હતા. જાે અમને ૨૦૧૫ થી અત્યાર સુધી ન્યાય મળી ગયો હોત તો અમારે કાયદો હાથમાં લેવો પડ્યો ન હોત. જે પણ કરવું પડ્યું હતું, તે સંજાેગો જાેઈને કરવું પડ્યું. જાે ભાજપ ખેડૂતોને કચડી નાખે તો તે કાયદા મુજબ બરાબર છે અને જાે અમે કોઈ સજા આપીએ તો તેના પર કાયદા દ્વારા પ્રશ્નો ઉભા થાય છે. તે નહીં ચાલે.
