Gujarat

જિલ્લા વહીવટી તંત્રના ૫૪ અધિકારીઓ પ્રાકૃતિક ખેતિનો વ્યાપ વધારવા ખેડૂતોના ફાર્મની મુલાકાત લેશે  

જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતિનો વ્યાપ વધારવા માટે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિના ૫૪ જેટલા અધિકારીઓ પ્રાકૃતિક ખેતિ કરતા ખેડૂતોના ફાર્મની મુલાકાત લેશે. જિલ્લા વહીવટી તંત્રના આ અધિકારીઓ પ્રાકૃતિક ખેતિ કરતાં ખેડૂતોના ફાર્મની મુલાકાત લઈ,  પ્રાકૃતિક ખેતી ના આયામો ની વિગતો જાણી તેના અનુભવો નું આદાનપ્રદાન કરી તેમને પ્રોત્સાહિત કરશે સાથે જ આ ખેડૂતોએ અપનાવેલ  પદ્ધતિઓ  અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતિ અપનાવે તે માટે પ્રેરિત કરવામાં આવશે. આ માટે કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા દ્વારા વિધિવત હુકમ પણ કરી દેવામાં આવ્યો છે. આમ, પ્રાકૃતિક ખેતિને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુગ્રથિત આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *