Gujarat

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ- ભેસાણ દ્વારા ગ્રીષ્મકાલિન બાલ શિબિરનું યોજાઈ

ભેંસાણ તાલુકાના વર્ષ ૯ થી ૧૬ વર્ષ સુધીના તરુણો અને બાળકો માટે એક બાલ શિબિરનું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભેસાણ દ્વારા શ્રી માધવ શૈક્ષણિક સંકુલ- ભેસાણ ખાતે રાખવામાં આવ્યું હતું.

જેમાં સૌપ્રથમવાર ૮૦ જેટલા બાળકો અને તરુણો ભેસાણ તાલુકાના ૧૯ જેટલા ગામોમાંથી ભાગ લેવા માટે આવ્યા હતા.  તારીખ  ૧૦ અને ૧૧ મે ૨૦૨૩  એમ દ્વિદિવસીય  આ બાલ શિબિરમાં જુદા જુદા સત્રો લેવા માટે જૂનાગઢ થી વિશેષ તજજ્ઞ ઉપસ્થિત રહયા હતા.  જેમાં બાળકોનું માનસિક ઘડતર થાય અને શારીરિક ઘડતર થાય તેમજ નાનપણથી જ આ બાળકોમાં શિસ્ત, અનુશાસન અને સંસ્કારનું સિંચન થાય અને સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિમાં તેઓ પણ આગળ જતાં સહભાગી બને તે પ્રકારનું જ્ઞાન તેઓને આપવામાં આવ્યું હતું.

આ દ્વિદિવસીય શિબિરમાં આવી બાળકોએ વિવિધ દેશી રમતો દ્વારા આનંદ માણ્યો તેમજ સવારમાં  અગ્નિહોત્ર યજ્ઞનું પણ આયોજન  કરવામાં આવ્યું હતું.  તેઓ યજ્ઞનું મહત્વ સમજે અને પોતાના ભવ્ય વારસાથી અવગત થાય. આ શિબિરને સફળ બનાવવા માટે તાલુકા કાર્યવાહ વિરલ ભેસાણીયા, ચિંતન ઊંધાડ તથા માધવ સ્કૂલ ભેસાણના સંચાલક પ્રિતેશ કોઠીયા સહિત  શિક્ષક કર્મચારીઓ તથા સંઘના સ્વયંસેવકોએ  જહેમત ઉઠાવી હતી.

bal-shibir-bhesan-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *