National

જબલપુરમાં ૭ સ્થળે NIAના દરોડા

જબલપુર
રાષ્ટ્રીય તપાસ એજન્સી (દ્ગૈંછ) એ આજે ??એટલે કે શનિવારે સવારે મધ્યપ્રદેશના જબલપુરમાં સાત સ્થળો પર દરોડા પાડ્યા છે. દ્ગૈંછના અધિકારીઓએ બાડી ઓમતી સ્થિત એડવોકેટ એ. ઉસ્માનીના ઘરે પણ દરોડા પાડ્યા છે. આજે સવારે દિલ્હી અને ભોપાલના લગભગ એક ડઝન આઈપીએસ અધિકારીઓ અને ૨૦૦ પોલીસકર્મીઓની ટીમ એ. ઉસ્માનીના ઘરે પહોંચી હતી. ટીમ આવતાની સાથે જ ઘરની આસપાસના વિસ્તારોને ઘેરી લીધા હતા. વિદેશી ફંડિંગ સાથે જાેડાયેલો મામલો જણાવવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ ઉસ્માનીના ઘરના કેટલાક સભ્યોની અટકાયત કરવામાં આવી છે. દ્ગૈંછએ જે વિસ્તારમાં દરોડા પાડ્યા છે તે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. દ્ગૈંછની ટીમે સર્ચ વોરંટથી આ દરોડા પાડ્યા છે. ઓમાટીમાં એક ડૉક્ટર સહિત શહેરમાં અન્ય છ સ્થળોએ પણ દરોડા પાડવામાં આવ્યા હોવાના અહેવાલ છે. એડવોકેટ એ. ઉસ્માનીના ઘરની નજીક મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ ઉસ્માનીના ઘરની આસપાસના રસ્તાઓને સંપૂર્ણ રીતે સીલ કરી દીધા છે. દિલ્હીના અધિકારીઓની ટીમ ઉસ્માનીના પરિવારજનોની પૂછપરછ કરી રહી છે. જાણકારી અનુસાર દ્ગૈંછની ટીમે જબલપુરના ખાન ક્લાસીસ અને મકસૂદ કબાડી પર પણ દરોડા પાડ્યા છે. આ દરોડાના કારણે વિસ્તારમાં અરાજકતાનો માહોલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે એનઆઈએના અધિકારીઓ ઉસ્માનીના ઘરના રૂમની તપાસ કરી રહ્યા છે. તેમની પાસે કેટલાક દસ્તાવેજાે પણ છે. જાે કે, તે દસ્તાવેજાેમાં શું છે, તેની માહિતી હજુ સામે આવી નથી. દ્ગૈંછને ઘરના તમામ સભ્યોના મોબાઈલ એક જગ્યાએ જમા કરાવ્યા છે. તેમજ કોઈપણ સભ્યને ઘરની બહાર જવાની પરવાનગી નથી. દ્ગૈંછ અધિકારીઓએ હજુ સુધી આ દરોડા અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

File-01-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *