બીપોરજોય વાવાઝોડા અને વરસાદની હવામાન ખાતાની આગાહી તથા સરકારશ્રીની સૂચના ધ્યાને લઈને તા. 12/06/2023 ને સોમવારના બપોરના 3:00 વાગ્યાથી બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી કોઈપણ ખેત-પેદાશો એટલે કે જણસીઓની આવકો બંધ કરવામાં આવે છે. તેમજ પડતર માલની જ હરાજી આવતી કાલે કરવામાં આવશે. દરેક કમીશન એજન્ટ ભાઈઓએ આ અંગેની જાણ પોત-પોતાના ખેડુત ભાઈઓને કરી આપવા નમૂવિનંતી કરવામાં આવે છે.
સાવચેતીના પગલાં રૂપે શેડમાં વરસાદની જાપટ પહોંચી જવાની શક્યતા હોય, જેથી દરેક જણસી વ્યવસ્થીત ઢાંકી ને રાખવા માટેની જરૂરી વ્યવસ્થા કરાવાની જાણકરવામાં આવે છે. જેની ગંભીરતાથી નોંધ લેશો.


