International

UK માં તિરંગાનું અપમાન કરનાર ખાલિસ્તાની અવતાર સિંહ ખાંડાનું મોત

લંડન
ખાલિસ્તાની લિબરેશન ફોર્સને મોટો આંચકો લાગ્યો છે. બ્રિટનમાં દ્ભન્હ્લ ચીફ અને અમૃતપાલ સિંહના મુખ્ય હેન્ડલર અવતાર સિંહ ખાંડાનું લંડનની હોસ્પિટલમાં મોત થયું છે. ખાંડાને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યો હતા. હોસ્પિટલમાં દાખલ થવા પર તેના સમર્થકોએ ઝેર પીધું હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. ખાંડા પંજાબનો રહેવાસી હતો અને તેનો જન્મ મોગા જિલ્લામાં થયો હતો. ખાંડા બોમ્બ બનાવવામાં માસ્ટર હતો. અવતાર સિંહ ખાંડાએ વારિસ પંજાબ દેનો વડા અમૃતપાલ સિંહને ૩૭ દિવસ સુધી છુપાવવામાં મદદ કરી હતી. બ્રિટનમાં ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલા અને તિરંગાના અપમાન બાદ ખાંડાની ધરપકડ કરવામાં આવી હતી. ખાંડા વિશે એવું કહેવાય છે કે પંજાબમાં અમૃતપાલ સિંહને ઊભા કરવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર, દ્ભન્હ્લ ચીફ અવતાર સિંહ ખાંડાનું લંડનની એક હોસ્પિટલમાં મૃત્યુ થવાનું કારણ તેમના નજીકના સંબંધીઓ દ્વારા ઝેર આપવામાં આવ્યું હોવાનું કહે છે, પરંતુ માહિતી એ છે કે અવતાર સિંહ ખાંડા બ્લડ કેન્સરથી પીડિત હતો, જે પછી તેના શરીરમાં ઝેર ફેલાયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, તે તેના શરીરમાં ફેલાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. તે છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો.અવતાર સિંહ ખાંડા પર પંજાબમાં પોતાના સ્લીપર સેલની મદદથી અમૃતપાલ સિંહને ૩૭ દિવસ સુધી છુપાવવામાં મદદ કરવાનો આરોપ હતો. ખાંડાનો આખો પરિવાર ખાલિસ્તાની આંદોલન સાથે જાેડાયેલો છે. વર્ષ ૨૦૧૫માં કેન્દ્ર સરકારે બ્રિટિશ સરકારને કેટલાક શંકાસ્પદ ખાલિસ્તાની નેતાઓની યાદી સોંપી હતી, જેમાં ખાંડાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

File-02-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *