Delhi

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરને કારણે થયેલી તબાહીના દ્રશ્યો અતિ ભયાનક

નવીદિલ્હી
હિમાચલ પ્રદેશમાં તબાહી વચ્ચે ચાર દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે, ૨૮, ૨૯ અને ૩૦ જૂન માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે રાજ્યના ૩૦૧ માર્ગો પર વાહનવ્યવહાર થંભી ગયો છે. સાથે જ વીજળીના ૧૪૦ ટ્રાન્સફોર્મર પણ બંધ કરી દેવામાં આવ્યા છે. જણાવી દઈએ કે ચોમાસાની શરૂઆત બાદ ત્રણ દિવસમાં ૧૦૨.૩૮ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તે જ સમયે, પોલીસે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને હવામાનની સ્થિતિ જાણ્યા પછી તેમની મુસાફરીનું આયોજન કરવાની સલાહ આપી છે. આ સાથે નદી-નાળાને અડીને આવેલા વિસ્તારોમાં અને ભૂસ્ખલનવાળા વિસ્તારોમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે. મંડી જિલ્લામાં વરસાદને કારણે ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે પર ભૂસ્ખલન થયું છે, જેના કારણે રસ્તો બંધ થઈ ગયો છે. મંડી અને પંડોહ વચ્ચે ઘણી જગ્યાએ પથ્થરો પડવાને કારણે હાઈવે પણ બંધ છે. માર્ગ બંધ થવાના કારણે મુસાફરો ભૂખ્યા-તરસ્યા જામમાં અટવાયા છે. નેશનલ હાઈવેને સાફ કરવા અને વાહનવ્યવહાર પૂર્વવત કરવા માટે મશીનરી લગાવવામાં આવી છે, પરંતુ વારંવાર કાટમાળ પડી રહ્યો છે, જેના કારણે ટ્રાફિકને સરળ રીતે શરૂ કરવામાં મુશ્કેલી આવી રહી છે. બીજી તરફ, મંડી-પઠાણકોટ દ્ગૐ પર ભારે વરસાદને કારણે, કાટમાળ સ્વદ નાળામાં આવતાં ચાર કલાક સુધી રસ્તો બંધ રહ્યો હતો. અહીં જાહેર બાંધકામ વિભાગે ત્નઝ્રમ્ તૈનાત કરી છે, રસ્તાઓ પરથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. પરંતુ ભૂસ્ખલનને કારણે રાહત કાર્યને ઘણી અસર થઈ રહી છે. ભારે વરસાદને કારણે અનેક સંપર્ક માર્ગો પર વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. ઁઉડ્ઢએ રસ્તા પરથી કાટમાળ હટાવવા માટે મશીનરી મોકલી છે. દ્ગૐછૈંના જણાવ્યા અનુસાર સ્વાદ નાલા પાસે હાઈવે પર મોટી માત્રામાં કાટમાળ આવી ગયો હતો. જાેકે જેસીબીથી રસ્તો ખાલી કરવામાં આવ્યો છે.

File-01-Page-08-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *