ગીર સોમનાથ
ડુંગળી અને ટામેટાના વધતા ભાવ બાદ હવે સરકાર દાળના ભાવને અંકુશમાં લેવા માટે એક્શન મોડમાં છે. કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે દેશમાં ચણાની દાળને સબસિડીવાળા ભાવે વેચવાનો ર્નિણય લીધો છે. સરકારે ચણાની દાળને ‘ભારત દાળ’ નામથી બજારમાં ઓછી કિંમતે વેચવાનો ર્નિણય લીધો છે. જેમાં સરકાર ૬૦ રૂપિયા પ્રતિ કિલોના દરે ચણા દાળની બચત કરશે. જ્યારે ૩૦ કિલોનું પેકેજ ૫૫ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે. નોંધનીય છે કે નાફેડ દ્વારા દિલ્હી-એનસીઆરમાં ચણાની દાળ ઓછી કિંમતે વેચવામાં આવી રહી છે. આ ઉપરાંત દ્ગઝ્રઝ્રહ્લ, કેન્દ્રીય ભંડાર અને મધર ડેરીના સફળ કેન્દ્રોમાં પણ ભારત દાળનું વેચાણ કરવામાં આવશે. આ બાબતે માહિતી આપતાં કેન્દ્રીય ઉપભોક્તા ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે દેશમાં સસ્તી ચણા દાળ ભારત દાળની બ્રાન્ડ હેઠળ વેચવામાં આવશે. આમાં સરકાર સામાન્ય લોકોને સસ્તી ચણાની દાળ આપશે. આ દાળ દેશભરમાં નાફેડના ૭૦૩ સ્ટોર પર વેચવામાં આવશે. સરકાર પોતાની પાસે પડેલા ચણાના સ્ટોકને ચણાની દાળમાં ફેરવીને ગ્રાહકોને રાહત આપવાની કવાયતમાં લાગેલી છે. દિલ્હી-એનસીઆરમાં નાફેડના રિટેલ આઉટલેટ્સ ચણા દાળનું વેચાણ કરે છે. સરકારના ચણાના સ્ટોકને ચણાની દાળમાં રૂપાંતરિત કરીને ગ્રાહકોને પોષણક્ષમ ભાવે કઠોળ ઉપલબ્ધ કરાવવાની દિશામાં કેન્દ્ર સરકાર દ્વારા ‘ભારત દાળ’નું લોન્ચિંગ એક મોટું પગલું છે. ભારતમાં સૌથી વધુ ઉત્પાદિત કઠોળ ચણાની દાળ છે. લોકો સવારના નાસ્તાથી લઈને રાત્રિના ભોજનમાં ચણાની દાળનું સેવન કરે છે. આ ઉપરાંત આ કઠોળ દ્વારા ચણાનો લોટ બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ નાસ્તો અને મીઠાઈઓ બનાવવામાં થાય છે. આવી સ્થિતિમાં ઉત્તરથી દક્ષિણ સુધીના તમામ રાજ્યોમાં મોટા પાયે તેનું સેવન કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ચણા દાળ પહેલા સરકારે ટામેટાંના વધતા ભાવને જાેતા સસ્તા દરે ટામેટાં વેચવાનો ર્નિણય લીધો છે. દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં સસ્તા ટામેટાં વેચાઈ રહ્યાં છે. તે જ સમયે, નાફેડ પણ બિહાર, પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યોમાં સબસિડીવાળા દરે ટામેટાંનું વેચાણ કરી રહ્યું છે.
