ઊનાના પસવાળા ગામમાં વિવિધ વિસ્તારો કચરો અને ગંદકીના થર જામી જતાં અને જેના કારણે લોકોના આરોગ્યને ધ્યાને રાખી
ગ્રામ પંચાયત સરપંચ તલાટી મંત્રી સહીતના ગામના આગેવાનોએ જાતે હાથમાં પાવડો ઉપાડી સફાઇ અભિયાન હાથ કરવામાં આવ્યુ
હતું. આ કામગીરીમાં તલાટી મંત્રી જશુભા ગોહીલ, સરપંચ ભીમભાઇ, વિસાભાઇ જાદવ મંત્રી, લેવા રાજુભાઇ નગાભાઇ
દિનેશભાઇ સહીતએ ખુદ પાવડા વડે ગામના અલગ અલગ સ્થળોએ પડેલા કચરાના ઢગલાને ઉપાડી ટ્રેક્ટર મારફતે ભરી દૂર કરી
સફાઇ કામગીરી કરતા ગામ લોકોએ આ કામગીરીને બિરદાવી હતી.


