Gujarat

જાફરાબાદ તાલુકાના ટીંબી-માણસા રોડ પર એસ ટી બસ પલ્ટી ખાઇ….ચાર મુસાફરોને ગંભીર ઇજા ઉના સરકારી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયા..

ઊના – જાફરાબાદ તાલુકાના ટીંબી – માણસા રોડ પર એસ ટી બસ પલ્ટી ખાતા બસમાં બેઠેલા મુસાફરોના જીવ અધ્ધર થઇ ગયા
હતા. આ અકસ્માતની ઘટનામાં ચાર વ્યક્તિઓને ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે ઉના સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવેલ
હતા..
સાવરકુંડલા- ઉના રૂટની એસ ટી બસના ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બસ પલ્ટી ખાઇ ગઇ હતી. જોકે આ બસનો
ડ્રોઇવર મોબાઇલ ફોનમાં વ્યસ્ત હોવાનું જાણવા મળેલ છે. જેના કારણે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બસ પલ્ટી ખાતા બસમાં બેઠેલા
મુસાફરોમાં ચિચ્યારાથી ગુંજી ઉઠ્યુ હતું. આ અકસ્માત સર્જાતા બસ રસ્તાની સાઇડમાં બાવળના ઝાડમાં પલ્ટી ખાઇ હતી. બસમાં
બેઠેલા ૧૯ મુસાફરો માંથી જયાબેન દિનેશભાઇ રહે. માણસા, વલ્લભદાસ વિષ્ણુદાસ ગોંડલીયા રહે. સાંવરકુંડલા, સોનુ કરીયાદ રહે.
ઇંટવાયા તેમજ શિવાની સેરૂભાઇ રહે.આણંદ મહીલા સહીત ચાર વ્યક્તિઓને ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે ઉના સરકારી
હોસ્પીટલે ખસેડવામાં આવેલ હતા. અકસ્માતની ઘટના બનતા નાગેશ્રી પોલીસ ઘટના સ્થળે દોડી ગયેલ હતી. આ અંગે પોલીસ
આગળની વધુ તપાસ હાથ ધરી તજવિજ હાથ ધરેલ છે.

-ટીંબી-માણસા-રોડ-પર-એસ-ટી-બસ-પલ્ટી-ખાધી-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *