Gujarat

જિલ્લા ફેર બદલી થતા સાવરકુંડલા તાલુકાના પ્રાથમિક શિક્ષકોનો વિદાય સમારંભ યોજાયો

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
ગુજરાત રાજ્ય પ્રાથમિક સંઘના સઘન પ્રયાસથી સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં જિલ્લા ફેર બદલી કેમ્પ યોજાઈ ગયા અને ઘણા વર્ષોથી વતનમાં જવા ઇચ્છતા પ્રાથમિક શિક્ષકો પોતાના ગંતવ્યસ્થાને જવા માટેનો મોકળાશ પ્રાપ્ત થઈ તે અનુસંધાને અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાંથી પણ ઘણા શિક્ષકો પોતાના ઇચ્છિત જિલ્લામાં જવાનો મોકો પ્રાપ્ત થયો. તારીખ. ૩૧-૭-૨૦૨૩ ના રોજ કુંડલા તાલુકાના જિલ્લા ફેર થતાં શિક્ષકોને માનભેર વિદાય આપવામાં આવી.
આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ વિંછીયા, તાલુકાના પ્રમુખશ્રી કૃપાલસિંહ જાડેજા, મંત્રીશ્રી અલ્પેશસિંહ જાડેજા, ઉપપ્રમુખ ગુલઝારભાઈ રાઠોડ અને ઇન્ચાર્જ ટી.પી.ઓ નરેન્દ્રભાઈ જોષી, બી.આર.સી.  શ્રી દર્શનાબેન જોષી  મંડળીના અને તાલુકા ઘટક સંઘના કારોબારી સભ્ય  તમામ પે. સેન્ટર શાળાના આચાર્યશ્રીઓ હાજર રહ્યા હતા. પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ વિંછીયા (અ.વિ.પ્રા.શી સંઘના પ્રમુખ) ના હસ્તે તમામ ૩૯ શિક્ષકોની શ્રીફળ સાકરનો પડો અને પુષ્પગુચ્છ અર્પણ કરી માનભેર વિદાય આપવામાં આવી.
આ કાર્યક્રમનું સંચાલન મંત્રી શ્રી અલ્પેશસિંહ જાડેજા અને ઉપપ્રમુખ શ્રી ગુલઝારભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવેલ હતું. કાર્યક્રમના ઉદઘોષક તરીકે સાવરકુંડલા શહેરી શિક્ષક શરાફી મંડળીના પ્રમુખ શ્રી દિપકભાઈ ડી પંડ્યા હાજર રહ્યા હતા.

IMG-20230805-WA0047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *