નવીદિલ્હી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેગા ૈંઝ્રઝ્ર ર્ંડ્ઢૈં વર્લ્ડ કપ મેચ સત્તાવાર રીતે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હવે તે અગાઉ કરતાં એક દિવસ પહેલા ૧૪ ઓક્ટોબરે રમાશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે બુધવારે વર્લ્ડ કપના સમયપત્રકમાં ફેરફારની જાહેરાત કરી હતી કારણ કે નવ મેચો ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો મૂળ ૧૫મી ઓક્ટોબરે યોજાનાર હતો પરંતુ તે નવરાત્રિનો પહેલો દિવસ પણ છે જેમાં સમગ્ર ગુજરાતમાં ગરબા રાત્રીઓનું આયોજન કરવામાં આવતા ભારે ભીડ જાેવા મળે છે. કેટલાક અહેવાલો સૂચવે છે કે સુરક્ષા એજન્સીઓએ બીસીસીઆઈને પ્રવાસનો કાર્યક્રમ બદલવાની સલાહ આપી છે કારણ કે તેઓ નવરાત્રિને કારણે વધારે પરેશાન થઈ જશે. ૈંદ્ગડ્ઢ દૃજ ઁછદ્ભ ટક્કરની પૂર્વધારણાએ ૈંઝ્રઝ્રને શેડ્યૂલમાં વધુ ફેરફાર કરવાની ફરજ પાડી હતી જેના કારણે ઈંગ્લેન્ડ હવે ૧૫ રવિવારે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ૨૪ કલાક પહેલા લખનૌમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે અને હવે તે શુક્રવાર, ૧૩ ઓક્ટોબરને બદલે ગુરુવાર, ૧૨ ઓક્ટોબરે રમશે. તો બીજી તરફ શ્રીલંકા સામે પાકિસ્તાનની ટક્કર પણ આગળ ધકેલાઇ હતી કારણ કે હવે આ બે એશિયન ટીમો હૈદરાબાદમાં મંગળવારે ૧૦ ઓક્ટોબરે એકબીજાનો સામનો કરશે. આ સિવાય ન્યુઝીલેન્ડની બાંગ્લાદેશ સામેની મેચ ૧૪ ઓક્ટોબરે ચેન્નાઈમાં રમાનાર ર્ંડ્ઢૈં હવે તે શુક્રવાર, ૧૩ ઓક્ટોબરે યોજાશે અને તે ડે નાઈટ ગેમ તરીકે રમાશે. હિમાચલ પ્રદેશનાં સુંદર મેદાન ધર્મશાલામાં ઇંગ્લેન્ડ વિ બાંગ્લાદેશની મેચ જે મૂળ રીતે ડે-નાઇટ ફિક્સ્ચર તરીકે સુનિશ્ચિત કરવામાં આવી હતી, તે હવે ૈંજી્ સવારે ૧૦ઃ૩૦ વાગ્યાથી શરૂ થતી ડે મેચ તરીકે રમાશે. આમ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા.


