Gujarat

અમદાવાદથી કેશોદ, અમરેલી, રાજકોટની ફ્લાઈટ શરૂ થશે

અમદાવાદ
ગુજરાતમાં નાના શહેરોને જાેડતી હવાઈ સેવાને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના નાના શહેરોને હવાઈ સેવાથી જાેડવામાં આવશે. અમદાવાદથી કેશોદ, અમરેલી, રાજકોટની ફ્લાઈટ શરૂ થશે. અમદાવાદથી પોરબંદર, ભાવનગર રૂટ પણ તેમાં સામેલ કરવામાં આવશે. અંબાજી, સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે અમદાવાદથી હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે. ગુજરાતના નાનાં શહેરો જેવા કે વડોદરાથી ભૂજ, પોરબંદર, કેશોદ, રાજકોટની ફ્લાઈટ મળશે. અમદાવાદ-વડોદરા એરપોર્ટ પરથી ૧૧ રૂટની નવી ફ્લાઈટ શરૂ કરવા ટેન્ડર મગાવ્યા છે. ૮ એર સ્ટ્રીપના સર્વે માટે એરપોર્ટ ઓથોરિટીની ટીમ મુલાકાતે આવશે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *